કોંગ્રેસ હાઈકમાન્ડનો મહત્વનો નિર્ણય, ગુજરાતના આ ટોચના પાંચ નેતા ચૂંટણી નહીં લડે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 17:49:28

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પાર્ટી તેની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં વ્યસ્ત બની છે. રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસે પણ યુવા નેતૃત્વને પુરતું પ્રોત્સાહન મળે પુરતી તક મળે અને તે આગળ આવે તે માટે ખાસ પ્રયાસો હાથ ધર્યા છે. પાર્ટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ હાઈકમાન્ડના ટોચના પાંચ નેતાઓએ આગામી વિધાન સભાની ચૂંટણી નહીં લડે. જો કે રસપ્રદ બાબત તે પણ છે કે 2017માં પણ કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ વિધાનસભાની ચૂંટણી હારી ગયું હતું. આ નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમાવેશ થાય છે.


કયા 5 નેતા ચૂંટણી નહીં લડે


કોંગ્રેસ હાઇકમાન્ડએ યુવા નેતૃત્વને તક મળે તે માટે ખાસ ચૂંટણી રણનિતી બનાવી છે. જે અંતર્ગત ઉચ્ચ પદસ્થ નેતાઓને સાઇડટ્રેક કરીને નવા નેતાઓને તક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી નહીં લડે. કેટલાકના મતે આ યાદીમાં અન્ય નેતાઓનો પણ સમાવેશ થઈ શકે છે.


કોંગ્રેસનાં ઉચ્ચ નેતૃત્વ પર હતું દબાણ


ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર યુવા નેતૃત્વ સાથે અન્યાયના આરોપો થયા રહ્યા છે. યુવાનોને આગળ નહીં કરવા તથા પાર્ટી સંગઠનમાં તેમને કોઈ જવાબદારી નહીં આપવાના કારણે આ ટોચના નેતાઓ પર પહેલાથી દબાણ હતું. રાજ્ય કોંગ્રેસમાં યુવા નેતૃત્વ વિકસે અને અને તેમની પ્રતિભા ખીલે તે માટે પુરતી તક જ મળતી ન હતી. આ જ કારણે યુવાઓ કોંગ્રેસથી દુર થઈ રહ્યા છે. હાર્દિક પટેલ અને વિશ્વનાથસિંહ વાઘેલા સહિત અનેક યુવા નેતાઓ પાર્ટીમાંથી રાજીનામા આપી ચુક્યા છે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.