કોંગ્રેસ હાઈકમાન્ડનો મહત્વનો નિર્ણય, ગુજરાતના આ ટોચના પાંચ નેતા ચૂંટણી નહીં લડે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 17:49:28

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પાર્ટી તેની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં વ્યસ્ત બની છે. રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસે પણ યુવા નેતૃત્વને પુરતું પ્રોત્સાહન મળે પુરતી તક મળે અને તે આગળ આવે તે માટે ખાસ પ્રયાસો હાથ ધર્યા છે. પાર્ટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ હાઈકમાન્ડના ટોચના પાંચ નેતાઓએ આગામી વિધાન સભાની ચૂંટણી નહીં લડે. જો કે રસપ્રદ બાબત તે પણ છે કે 2017માં પણ કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ વિધાનસભાની ચૂંટણી હારી ગયું હતું. આ નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમાવેશ થાય છે.


કયા 5 નેતા ચૂંટણી નહીં લડે


કોંગ્રેસ હાઇકમાન્ડએ યુવા નેતૃત્વને તક મળે તે માટે ખાસ ચૂંટણી રણનિતી બનાવી છે. જે અંતર્ગત ઉચ્ચ પદસ્થ નેતાઓને સાઇડટ્રેક કરીને નવા નેતાઓને તક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી નહીં લડે. કેટલાકના મતે આ યાદીમાં અન્ય નેતાઓનો પણ સમાવેશ થઈ શકે છે.


કોંગ્રેસનાં ઉચ્ચ નેતૃત્વ પર હતું દબાણ


ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર યુવા નેતૃત્વ સાથે અન્યાયના આરોપો થયા રહ્યા છે. યુવાનોને આગળ નહીં કરવા તથા પાર્ટી સંગઠનમાં તેમને કોઈ જવાબદારી નહીં આપવાના કારણે આ ટોચના નેતાઓ પર પહેલાથી દબાણ હતું. રાજ્ય કોંગ્રેસમાં યુવા નેતૃત્વ વિકસે અને અને તેમની પ્રતિભા ખીલે તે માટે પુરતી તક જ મળતી ન હતી. આ જ કારણે યુવાઓ કોંગ્રેસથી દુર થઈ રહ્યા છે. હાર્દિક પટેલ અને વિશ્વનાથસિંહ વાઘેલા સહિત અનેક યુવા નેતાઓ પાર્ટીમાંથી રાજીનામા આપી ચુક્યા છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.