ગુજરાત કોંગ્રેસે ચૂંટણીના 8 વચનોમાં આપ્યું ગાંધીજીને સ્થાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:06:29

ગુજરાતમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યું છે. કોંગ્રેસ દ્વારા ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને 8 વચનો આપવામાં આવ્યા છે. લોકો સુધી 8 વચનો પહોંચાડવા મારૂ બૂથ મારૂ ગૌરવ અભિયાન અંતર્ગત પત્રક વહેંચી લોકો સુધી તેમના વચનો પહોંચાડવામાં આવશે. કોંગ્રેસે ગાંધી જયંતીનો લાભ લીધો છે. ગાંધીની વિચારધારા જોડે પોતાની વિચારધારાને જોડી લોકો સુધી પહોંચવાની કોશિશ કોંગ્રેસ કરી રહ્યું છે.  

ટ્વિટર પર ચાલતી 'ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન' મુહિમ

મતદારો સુધી પહોંચવા ગુજરાત કોંગ્રેસ પણ સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યું છે. ટ્વિટર પર કોંગ્રેસ ગાંધી બાપુના વિચાર એ જ કોંગ્રેસનું વચન મુહિમ ચલાવી રહી છે. પોતાના 8 વચનોને ગાંધી બાપુની વિચારધારા જોડે જોડી લોકોને આકર્ષવા માગે છે.  

 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.