Gujarat Congressના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નિવેદનથી ગરમાઈ રાજનીતિ! પોલીસ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-05-02 12:47:26

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો ચર્ચાનો વિષય બનતો હોય છે... ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે...  નિવેદન આપતા તેમણે કહ્યું કે  ચૂંટણીના બે દિવસ બાકી હશે અને લાલ-લીલું પાણી ઉતરશે. આ લાલ-લીલું પાણી ભાજપવાળા વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે...

જગદીશ ઠાકોરે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

લોકસભા ચૂંટણીના દિવસો નજીકમાં છે.. દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે... ચૂંટણી નજીક આવતા અનેક જગ્યાઓ પર સભાઓ ગજવવામાં આવી રહી છે... આ સભાઓમાં અનેક વખત નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેની ચર્ચાઓ થાય છે... પોલીસ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા છે. ત્યારે ફરી એક વખત પોલીસ અને ભાજપને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આડેહાથ લીધી હતી. નસવાડીના કડુલી મહુડી ખાતે યોજાલેલી કોંગ્રેસની સભામાં તેમણે પોલીસને લઈ નિવેદન આપ્યું હતું... જગદીશ ઠાકોર દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે રાજનીતિ ગરમાઈ છે..


શું કહ્યું જગદીશ ઠાકોરે? 

પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે  ચૂંટણીના બે દિવસ બાકી હશે અને લાલ-લીલું પાણી પાણી ઉતરશે. આ લાલ-લીલું પાણી ભાજપવાળા વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે... જેને દારૂબંધી બંધ કરવી છે તે પેટીઓની પેટીઓ ઉતારશે... એ રૂપિયા આપશે અને પાછા તમને બે-ચાર દહાડા નશામાં રાખી નાના-મોટી લાલચ આપી તમને મત આપવા જતા રોકશે. એ કાવતરાથી તમે ચેતો હું તમને ચેતવવા આવ્યો છું. તે સિવાય તેમણે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા હતા...!    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.