વફાદાર ધારાસભ્યોને કોંગ્રેસ આપશે ટિકિટ, પણ 63 સિવાયના ઉમેદવાર કેવી રીતે પસંદ કરાશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 13:30:57

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે. તમામ રાજકિય પક્ષો ચુંટણીની તૈયારીઓમાં લાગ્યા છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટી યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે ખુબ જ સાવધાની રાખી રહી છે. કોંગ્રેસની ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોએ 12મી સપ્ટેમ્બર સુધીમાં પોતાનો બાયોડેટા આપવાનો છે અને 15મી સુધીમાં આ બાયોડેટાને પ્રદેશ કાર્યાલય સામે મૂકાશે.


કોંગ્રેસને પસંદગી પ્રક્રિયા માટે મળ્યા 130 સૂચનો

 

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ માટે તેમને 130 સૂચનો મળ્યા છે. ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે ગુજરાત કોંગ્રેસે નિર્ણય લીધો છે કે ટોળા સાથે દાવેદારી કરનારા ઉમેદવારોને ટિકિટ નહીં અપાય. કોંગ્રેસ કમિટીની બેઠક બાદ આ અંગે સર્વસંમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે.


સ્ક્રિનિંગ કમિટી કરશે ઉમેદવારોની પસંદગી


જગદીશ ઠાકોરે કહ્યું કે પાર્ટીની ટિકિટ મેળવવા માંગતા 12 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારોએ પોતાનો બાયોડેટા 15 તારીખ સુધી જિલ્લા કોંગ્રેસ કમિટીને પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાનો રહેશે. આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બરે ફરી એકવાર સ્ક્રિનિંગ કમિટીની બેઠકનું આયોજન થશે. કોંગ્રેસની દરેક પેનલ સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા કરીને આખરી નિર્ણય લેશે.


વફાદાર ધારાસભ્યોની ટિકિટ પાક્કી


ભાજપની લાલચમાં આવ્યા વગર કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહેલા કર્મઠ ધારાસભ્યોને ચોક્કસ ટિકિટ આપવામાં આવશે. આ વફાદાર ધારાસભ્યોની ટિકિટ કાપવામાં નહીં આવે. આ અંગે કોંગ્રસના અગ્રણી નેતા સુખરામ રાઠવા પણ અગાઉ નિવેદન આપી ચુક્યાં છે. હાલના ધારાસભ્યોને હટાવવા અંગેની કોઇ જ વિચારણા નથી.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.