Gujarat Congress અને Yuvrajsinhએ શિક્ષકોને લઈ કરી ટ્વિટ! ગુજરાતની સરકારી સ્કૂલોમાં 22 હજાર શિક્ષકોની ઘટ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-06 09:42:54

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્ઞાનસહાયક યોજના રદ્દ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. ફરી એક વખત શિક્ષકોને લઈ યુવરાજસિંહે ટ્વિટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગરીબ મધ્યમ વર્ગના બાળકને યોગ્ય શિક્ષણ મળે, ભણી ગણી આગળ વધે તે માટે સરકારી શાળાઓમાં શિક્ષકો વધવા જોઈએ અહીંયા તો ઉલટી ગંગા ચાલી રહી છે. ખાલી જગ્યાઓ પર ભરતી જ કરવામાં નથી આવતી. અમુક જે ભરતી છે તેમાં શોષણ એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા લાવવામાં આવે છે. તે ઉપરાંત ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ મામલે ટ્વિટ કરવામાં આવ્યું છે.   

વિદ્યાર્થીઓ વધ્યા, શિક્ષકો ઘટ્યા!

ગુજરાતમાં એમ પણ શિક્ષકોની ઘટ છે તેમ છતાં ગુજરાત સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા તો કરવામાં આવી રહી છે પરંતુ કોંગ્રેસ તેમજ આપ દ્વારા પણ માગ કરવામાં આવી રહી છે. આપે ઉમેદવારોના સમર્થનમાં ઉલટી દાંડી યાત્રાનું આયોજન પણ કર્યું હતું. ત્યારે ફરી એક વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો છે. પેપર કટિંગ સાથે તેમણે ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે સામાન્ય પરિસ્થિતિમાં એવું હોય જેમ જેમ વસ્તી વધે તેમ તેમ સરકારી મહેકમમાં વધારો થવો જોઈએ. સરકારી સંસ્થાઓ વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા મહેકમ વધવું જોઈએ. અહીંયા ગુજરાતમાં તો સાવ ઉલટું જ ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ વધ્યા, શિક્ષકો ઘટ્યા. 


અનેક ગામડાઓમાં નથી પહોંચ્યો વિકાસ 

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક એવા ઉદાહરણો સામે છે જેમાં સરકારી શાળાની પરિસ્થિતિ કેવી છે તેની જાણ થાય છે. મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે, મોટા મોટા શહેરોમાં વિકાસ થાય પણ છે પરંતુ વિકસીત ગુજરાતમાં પણ અનેક એવા ગામડાઓ છે જ્યાના લોકો હજી પણ વિકાસ માટે ઝંખે છે. પ્રાથમિક સુવિધાઓ માટે પણ તેમને વલખા મારવા પડે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.