Gujarat : ખાડારાજની સામે નાગરિકોએ આવી રીતે દર્શાવ્યો વિરોધ! જ્યાં જ્યાં ખાડા પડ્યા ત્યાં ભાજપના ઝંડા લગાવી દીધા!


  • Published By :
  • Published Date : 2024-07-19 18:02:02

સામાન્ય વરસાદ આવતાની સાથે જ રસ્તાની હાલત બિસ્માર થઈ જતી હોય છે.. કરોડોના ખર્ચે બનાવાતા રસ્તા પર વરસાદ થતાની સાથે જ ખાડાઓ પડવા લાગે છે.. અનેક જગ્યાઓ પર તો મોટા મોટા ભુવાઓ પડતા હોય છે જેમાં આખે આખી બસ સમાઈ જાય.. સરકાર સુધી સ્થાનિકોને પડતી મુશ્કેલીનો અવાજ પહોંચે તે માટે ભાજપના ઝંડાને ખાડામાં લગાવી રહ્યા છે. આ જાણે નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય તેવું લાગે છે..  



ગાંધીનગરથી સામે આવ્યા હતા દ્રશ્યો 

સુરતથી અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જ્યાં ખાડો હોય કે ભૂવા પડ્યા હોય ત્યાં સરકારની આંખ ઉઘાડવા ભાજપના ઝંડા લગવવામાં આવી રહ્યા છે.. વધારે પડતાં ખાડા પડે ત્યારે કોંગ્રેસ કે આપ કે પછી સામાન્ય નાગરિક આ રીતે ભાજપના ઝંડા ખાડામાં લગાવી દે છે. પહેલા આવા દ્રશ્યો ગાંધીનગરથી આવ્યા હતા જ્યારે ગાંધીનગરમાં અતિ વરસાદ થયો હતો. ત્યારે લોકોએ આ રીતે જ વિરોધ બતાવ્યો હતો. 

Image


સુરતમાં ભાજપના ઝંડા લગાવી કરવામાં આવ્યો વિરોધ

સુરતના પુણા વિસ્તારથી આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા જ્યાં ભૂવા પડ્યા હોય ત્યાં આ રીતે ઝંડા લાગવી દેવામાં આવ્યા બાદમાં કોંગ્રેસ દ્વારા ભાજપ શાસકો અને પાલિકાનું ધ્યાન ખેંચવા માટે આ ભુવામાં ભાજપના ઝંડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર લગાવી દેવામા આવ્યું.  કાપોદ્રામાં રચનાથી મમતા પાર્ક રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. જેને લઇને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘટના સ્થળ પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા.



શું કહ્યું કોર્પોરેટરે?

બાદમાં આપ કોર્પોરેટર કુંદન કોઠીયાએ જણાવ્યું કે, ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે. પ્રજાના કામોની કોઈ દિવસ શાસકો તસ્દી નથી લેતા. જો હજુ પણ પાલિકા અને ભાજપ શાસકો નહીં સુધરે તો પ્રજાહિતમાં અમે વધુ કાર્યક્રમ આપતાં પણ ખચકાશું નહીં. પ્રજાહિત અમારે માટે સર્વોપરી છે. લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને શાસકો પોતાની કરવામાં મસ્ત છે. શહેરની સાચી સ્થિતિ બતાવવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ.



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .