સનાતન Vs સ્વામિનારાયણઃ મૂર્તિ વિવાદ પર ગુજરાત સરકાર સંતોની મધ્યસ્થતા કરવાની ભૂમિકામાં


  • Published By :
  • Published Date : 2023-09-04 19:43:47

બંને પક્ષના સંતો સાથે CMની દોઢ કલાક ચર્ચા 

સાળંગપુર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના દાસ દેખાડવામાં આવ્યા છે અને હનુમાનજીના માથા પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક છે તે મામલે રાજ્યભરમાં ભણકારા વાગ્યા અને સંતો મહંતોએ બેઠકોનો દોર શરૂ કર્યો. આજે મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠક પૂરી થઈ ગઈ છે. અમદાવાદના શિવાનંદ આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદ અને સનાતની સંતોની બેઠક મળી છે. લગભગ દોઢ કલાક જેટલી બેઠક યોજાઈ હતી જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાહેંધરી આપી હતી કે અમે 36 કલાકની અંદર ભીંત ચિત્રો હટાવી દેશું જેથી વિવાદ શમી જાય. 


બંને ત્રાજવામાં પગ મૂકી સરકાર માછલીની આંખ વિંધશે!

આપણે જાણીએ જ છીએ કે ગઈકાલે અમદાવાદમાં સાણંદ હાઈવે નજીક લંબે નારાયણ આશ્રમ ખાતે સનાતની સંતોની બેઠક મળી હતી જેમાં સંતો, મહંતો, અને મહામંડલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. બધા સંતોએ એક પછી એક પોતાની વાત રાખી હતી અને પછી સનાતની સાધુઓએ સ્વામિનારાયણ સંપ્રદાય સામે અમુક નિર્ણયો લીધા હતા. સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનું પ્રણ લીધું હતું. ગુજરાત અને દેશના લગભગ 500થી વધુ સંતો આ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે માહોલ ગરમાઈ ગયો હતો અને અંતે સાંજે સ્વામિનારાયણ સંપ્રદાયે નિવેદન આપ્યું હતું. 


સાળંગપુર મૂર્તિ વિવાદ મામલે RSSની મધ્યસ્થ ભૂમિકા

Ram Madhav Met The Saints In Salangpur | Salangpur Controversy: સાળંગપુર  મંદિર વિવાદ મામલે RSSની એન્ટ્રી, રામ માધવે સાળંગપુરમાં સંતો સાથે કરી મુલાકાત

ગઈકાલે આપણે જોયું હતું કે સ્વામિનારાયણ મંદિર ખાતે રામ માધવ પણ જોવા મળ્યા હતા જે એક મહત્વની વાત હતી. અનેક પ્રતિક્રિયા એવી પણ આવી કે તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તરફથી આવ્યા હતા અને મધ્યસ્થ ભૂમિકા નિભાવવા માટે આવ્યા હતા. ત્યાર બાદ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંમત્રી હર્ષ સંઘવી, વડતાલ અને કાલુપુરના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો હાજર રહ્યા હતા. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બાહેંધરી બાદ કાર્યવાહીની રાહ લોકો જોઈ રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.