Gujaratના મુખ્યમંત્રીએ વીર મહિપાલસિંહ વાળાના પરિવારને આપ્યો એક કરોડનો ચેક, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-13 09:50:35

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી જેમાં અમદાવાદના વીર મહિપાલસિંહ શહીદ થઈ ગયા હતા. જ્યારે નશ્વર દેહને અમદાવાદ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો ત્યારે જનમેદની ઉમટી હતી. પતિને જ્યારે પત્નીએ અંતિમ વિદાય આપી ત્યારે તે ગર્ભવતી હતા. થોડા સમય બાદ વાળા પરિવારમાં પુત્રીનો જન્મ થયો હતો જેને વિરલબા નામ આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ વીર શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારજનોને એક કરોડ રુપિયાનો ચેક અર્પણ કર્યો છે. અમદાવાદ સ્થિત શહીદના નિવાસસ્થાને મુખ્યમંત્રી ગયા અને પરિવારજનોને ચેક અર્પણ કર્યો હતો. વિરલબાને મુખ્યમંત્રીએ રમાડી હતી.


અશ્રુભીનિ આંખે પરિવારે આપી હતી શહીદને અંતિમ વિદાય

દેશની રક્ષા માટે દેશના જવાન સીમા પર તૈનાત હોય છે. દેશમાં રહેતા લોકો શાંતીથી અને સુખે રહી શકે તે માટે દુશ્મોની ગોળી છાતી પર ખાતા હોય છે. સરહદ પર તૈનાત અનેક વીર જવાનો દેશની સુરક્ષા માટે શહીદ થઈ ગયા છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાતના વીર મહિપાલસિંહ વાળા આતંકવાદી સાથે થયેલી અથડામણમાં તે શહીદ થયા હતા. જ્યારે મહિપાલસિંહ વાળાના નશ્વરદેહને ગુજરાત લાવવામાં આવ્યો ત્યારે અંતિમ સંસ્કાર દરમિયાન ભારે જનમેદની ઉમટી હતી. અશ્રુભીનિ આંખે પરિવારે પોતાના સંતાનને અંતિમ વિદાય આપી હતી. પરિવારે દીકરાને તો ગુમાવ્યો પરંતુ પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો. 



શહીદના પરિવારને મુખ્યમંત્રીએ આપ્યો એક કરોડને ચેક 

વીર શહીદની શહીદીને યાદ કરવા માટે શાળાનું નામ પણ બદલાવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીરના પરિવારને એક કરોડનો ચેક અર્પણ કર્યો છે. શહીદના ઘરે  જઈ મુખ્યમંત્રીએ પરિવારજનોને ચેક આપ્યો હતો. શહીદને પુષ્પાંજલી અર્પણ કર્યા હતા અને તે બાદ વિરલબાને વ્હાલ પણ કર્યું હતું. શહીદ વીરના પરિવારને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે બે કરોડ રૂપિયાની સહાય મળવાની છે ત્યારે પરિવારને એક કરોડનો ચેક આપવામાં આવ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.