લવ મેરેજને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન, કાયદા બનાવવા અંગે આપ્યો ઈશારો, સાંભળો તેમનું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-07-31 16:04:26

લવ મેરેજના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજની પેઢી એવી છે જે અરેંજ મેરેજ નહીં પરંતુ લવ મેરેજ કરવાનું પસંદ કરી રહી છે. લવ મેરેજનો વિરોધ અનેક માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય છે. માતા પિતાનું કહેવું હોય છે કે પ્રેમલગ્ન કરી સંતાનો તેમને દગો આપતા હોય છે. પ્રેમ લગ્ન કરનાર દંપત્તિ સમાજમાં માતા પિતાની ઈમેજને ખરાબ કરે છે. તેમની આંખો શરમથી નમી જાય છે. ત્યારે ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈ કોઈ કાયદો આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે.  આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે એક નિવેદન આપ્યું છે જેની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે.

પ્રેમલગ્ન માટે માતા પિતાની મંજૂરી લેવી થશે ફરજીયાત! 

ગુજરાતમાં લવ મેરેજમાં વાલીઓની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા હતા. આ મામલે કડક કાયદો લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે આ મામલે ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના એસપીજી આયોજિત પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે બંધારણ ના નડે એ રીતે પ્રેમલગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા કરવા સરકાર વિચાર કરશે. માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી અને આવનાર સમયમાં આ અંગે કાયદો પણ લાવવમાં આવી શકે છે તે તરફ તેમણે ઈશારો કર્યો હતો. મહત્વનું છે થોડા સમય પહેલા ગેનીબેન ઠાકોર દ્વારા પણ આને લઈ માગ કરવામાં આવી હતી.  


અનેક યુવાનો વળી રહ્યા છે પ્રેમલગ્ન તરફ!

મહત્વનું છે કે યુવાનોમાં લવમેરજનો કેઝ વધતો જઈ રહ્યો છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પિતા પુત્રી સામે કરગરી રહ્યા હતા. લવ મેરેજને લઈ યુવાનો પોતાના માતા પિતા વિરૂદ્ધ થઈ જતા હોય છે. મહત્વનું છે કે પહેલાના જમાનામાં માતા પિતા સંતાન માટે જીવનસાથી શોધતા હતા અને હવેના સમયમાં સંતાનો ખુદ પોતાના માટે જીવનસાથી શોધી રહ્યા છે. ત્યારે સીએમના આ નિવેદન પર અનેક લોકોએ સમર્થન કર્યું છે. હવે જોવું રહ્યું કે શું ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે વાલીઓની પરવાનગી લેવાનો કાયદો આવે છે કે નહીં? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.