લવ મેરેજને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન, કાયદા બનાવવા અંગે આપ્યો ઈશારો, સાંભળો તેમનું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-07-31 16:04:26

લવ મેરેજના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આજની પેઢી એવી છે જે અરેંજ મેરેજ નહીં પરંતુ લવ મેરેજ કરવાનું પસંદ કરી રહી છે. લવ મેરેજનો વિરોધ અનેક માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય છે. માતા પિતાનું કહેવું હોય છે કે પ્રેમલગ્ન કરી સંતાનો તેમને દગો આપતા હોય છે. પ્રેમ લગ્ન કરનાર દંપત્તિ સમાજમાં માતા પિતાની ઈમેજને ખરાબ કરે છે. તેમની આંખો શરમથી નમી જાય છે. ત્યારે ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈ કોઈ કાયદો આવે તેવી માગ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે.  આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે એક નિવેદન આપ્યું છે જેની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે.

પ્રેમલગ્ન માટે માતા પિતાની મંજૂરી લેવી થશે ફરજીયાત! 

ગુજરાતમાં લવ મેરેજમાં વાલીઓની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા હતા. આ મામલે કડક કાયદો લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે આ મામલે ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના એસપીજી આયોજિત પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમાં તેમણે નિવેદન આપ્યું હતું કે બંધારણ ના નડે એ રીતે પ્રેમલગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા કરવા સરકાર વિચાર કરશે. માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી અને આવનાર સમયમાં આ અંગે કાયદો પણ લાવવમાં આવી શકે છે તે તરફ તેમણે ઈશારો કર્યો હતો. મહત્વનું છે થોડા સમય પહેલા ગેનીબેન ઠાકોર દ્વારા પણ આને લઈ માગ કરવામાં આવી હતી.  


અનેક યુવાનો વળી રહ્યા છે પ્રેમલગ્ન તરફ!

મહત્વનું છે કે યુવાનોમાં લવમેરજનો કેઝ વધતો જઈ રહ્યો છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પિતા પુત્રી સામે કરગરી રહ્યા હતા. લવ મેરેજને લઈ યુવાનો પોતાના માતા પિતા વિરૂદ્ધ થઈ જતા હોય છે. મહત્વનું છે કે પહેલાના જમાનામાં માતા પિતા સંતાન માટે જીવનસાથી શોધતા હતા અને હવેના સમયમાં સંતાનો ખુદ પોતાના માટે જીવનસાથી શોધી રહ્યા છે. ત્યારે સીએમના આ નિવેદન પર અનેક લોકોએ સમર્થન કર્યું છે. હવે જોવું રહ્યું કે શું ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે વાલીઓની પરવાનગી લેવાનો કાયદો આવે છે કે નહીં? 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!