Gujarat By Election : Arjun Modhwadia, C.J.Chawda સહિત જીતેલા પાંચેય ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યાબળ 161 થયું..


  • Published By :
  • Published Date : 2024-06-11 15:29:39

ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીને 156 સીટો મળી..ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી.. એવું લાગતું હતું કે ભાજપને આટલી સીટોથી સંતોષ હશે પરંતુ સમય જતા જતા ગુજરાતમાં રાજીનામાનો દોર શરૂ થયો. 6 ધારાસભ્યોએ એક બાદ એક રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા.. ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. પાંચેય પાંય વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ.. આજે વિધાનસભા અધ્યક્ષે પાંચેય ધારાસભ્યને શપથ લેવડાવ્યા છે.. ભાજપનું સંખ્યા બળ વધીને 161 થઈ ગયું છે.  



વિજેતા ઉમેદવારે લીધા ધારાસભ્ય તરીકેના શપથ  

2024માં જ્યારે લોકસભા ચૂંટણી માટે જ્યારે મતદાન થયું તેની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. લોકસભાના પરિણામ જે દિવસે આવ્યા તે દિવસે પેટા ચૂંટણીના પરિણામ આવ્યા. પાંચેય પાંચ વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જીત હાંસલ કરી.. પોરબંદરથી અર્જૂન મોઢવાડિયા, વિજાપુરથી સી.જે.ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. આજે શપથવિધિ યોજાઈ હતી જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પાંચેય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે.. મહત્વનું છે કે એક વિધાનસભા બેઠક ખાલી છે..



જ્યારે ચૂંટાયેલા ધારાસભ્ય રાજીનામું આપી દે છે ત્યારે..,

ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને ઉતાર્યા હતા ચૂંટણી મેદાનમાં તેઓ એ જ ધારાસભ્યો હતા જેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.. મતદાતાએ પહેલા જેમને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા તેમને જ ફરીથી પસંદ કર્યા.. લોકસભાની ચૂંટણી સાથે સાથે ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી માટે મતદાતાઓએ મતદાન કર્યું હતું, મહત્વનું છે કે જ્યારે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપે છે ત્યારે મતદાતાઓના મનમાં રોષની લાગણી જોવા મળતી હોય છે.  




મંત્રી મંડળનું થશે વિસ્તરણ? 

મહત્વનું છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિસ્તરણ થઈ શકે છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે અર્જુન મોઢવાડિયા તેમજ સી.જે.ચાવડાનો સમાવેશ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં થઈ શકે છે.. મહત્વનું છે કે એવું ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓમાં એ લાગણી કદાચ પ્રવર્તિ શકે છે કે કોંગ્રેસમાંથી આવતા લોકોને મંત્રી પદ મળી જાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા, કાર્યકર્તાઓ મંત્રી પદથી વંચિત રહી જાય છે..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે