Gujarat Budget : ગુજરાતના 7 મહાનગરપાલિકાને મળ્યો નગરપાલિકાનો દરજ્જો, અમદાવાદ રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવાશે... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-02 15:29:40

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કર્યું છે. વિવિધ વિભાગો માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. વિવિધ નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.  

રિવરફ્રેન્ટને લઈ બજેટમાં કરવામાં આવી આ જાહેરાત 

ગુજરાત રાજ્યનો વિકાસ આગળ વધે તે માટે અનેક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રની શરૂઆત થઈ તે પહેલા જ કનુ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે. ગાંધીનગરને લઈ અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં અમદાવાદના વિકાસ માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે. છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવામાં આવનાર છે.  



રિવરફ્રન્ટની લંબાઈ થઈ જશે 38.2 કિલોમીટર!

ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે અમદાવાદ રિવરફ્રન્ટને અમદાવાદનો રિવરફ્રન્ટ હવે રાજ્યના પાટનગર સુધી લંબાવવામાં આવશે તેવી જાહેરાત વિધાનસભામાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધીના રિવરફ્રન્ટના ભાગને  ફેઝ-4 અને ફેઝ-5 કરવામાં આવશે. આ બાદ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.

7 નગરપાલિકાને બનાવાશે મહાનગર પાલિકા 

રિવરફ્રન્ટ ઉપરાંત 7 નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત આજના બજેટ સત્રમાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ગઈકાલથી શરૂ થયેલા બજેટ સત્રનો આજે બીજો દિવસ હતો. જે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી છે તે છે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ થાય છે. 



ખેડૂતો માટે કરાઈ આટલા કરોડની જોગવાઈ! 

વિદ્યાર્થીઓ, મહિલાઓ ઉપરાંત ખેડૂતોને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ આ બજેટમાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!