Gujarat Budget 2024 : નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા કરવેરામાં નથી કરવામાં આવ્યો ફેરફાર, જાણો કયા વિભાગોમાં કેટલા કરોડની ફાળવણી.


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-02 13:36:10

ગુજરાત વિધાનસભામાં ત્રીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે. ગઈકાલે દેશના નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું ત્યારે આજે ગુજરાત માટેનું બજેટ રાજ્યના નાણામંત્રી રજૂ કરવાના છે. ગઈકાલથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. 29 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સત્રમાં અનેક મહત્વની બેઠકો થઈ શકે છે. 26 જેટલી બેઠકો આ સત્ર દરમિયાન થવાની છે. આ સત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે. ગતવર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં 10થી 20 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. બજેટ સત્રનો પ્રારંભ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ વિવિધ સ્લોગનના બેનરો પહેરી વિધાનસભા પહોંચ્યા હતા. બજેટમાં કરવેરામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 

 

લાલ નહીં પરંતુ બ્લેક કલરની બ્રિફકેસને લઈ પહોંચ્યા વિધાનસભા!

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો છે. 29 ફ્રેબ્રુઆરી સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે. વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવાના છે. સામાન્ય રીતે લાલ પોથીમાં બજેટને લાવવામાં આવતું હોય છે પરંતુ આ વખતે લાલ નહીં પરંતુ બ્લેક રંગની બ્રિફકેસ લાવવામાં આવી છે. વિધાનસભા પહોંચ્યા બાદ તેમણે નિવેદન આપ્યું કે ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું બજેટ હશે જેમાં ગરીબ, યુવાનોને,નારીશક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.  
   


આ વિભાગ માટે કરાઈ આટલા કરોડની ફાળવણી

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ અનેક યોજનાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ વિધાનસભામાં 3,32,465 કરોડનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. વિવિધ ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે 2711 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડ ફાળવાની જાહેરાત કરવામાં આવી છે. શેરી વિકાસ અન શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 



આદિજાતી વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 55114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત નમો લક્ષ્મી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે. તે ઉપરાંત નમો સરસ્વતી યોજના અંગેની માહિતી પણ આપવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઠ નગરપાલિકાને મહાનગર પાલિકમાં ફેરવવાની જાહેરાત કરવામાં આવી છે. 

એસટી વિભાગ માટે 2500 નવી બસ ખરીદવામાં આવશે. નવા સબ સ્ટેશનનો સ્થાપવા માટે 380 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ૧૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે ઉપરાંત ધો.૯ માં અભ્યાસ કરતી અંદાજે ૩૯ હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા ૨૧ કરોડની જોગવાઈ કરવામાં આવી. આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે `૫૩૯ કરોડનું આયોજન છે.  





માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.