Gujarat Budget 2024 : નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા કરવેરામાં નથી કરવામાં આવ્યો ફેરફાર, જાણો કયા વિભાગોમાં કેટલા કરોડની ફાળવણી.


  • Published By :
  • Published Date : 2024-02-02 13:36:10

ગુજરાત વિધાનસભામાં ત્રીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે. ગઈકાલે દેશના નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું ત્યારે આજે ગુજરાત માટેનું બજેટ રાજ્યના નાણામંત્રી રજૂ કરવાના છે. ગઈકાલથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. 29 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સત્રમાં અનેક મહત્વની બેઠકો થઈ શકે છે. 26 જેટલી બેઠકો આ સત્ર દરમિયાન થવાની છે. આ સત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે. ગતવર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં 10થી 20 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. બજેટ સત્રનો પ્રારંભ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ વિવિધ સ્લોગનના બેનરો પહેરી વિધાનસભા પહોંચ્યા હતા. બજેટમાં કરવેરામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 

 

લાલ નહીં પરંતુ બ્લેક કલરની બ્રિફકેસને લઈ પહોંચ્યા વિધાનસભા!

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો છે. 29 ફ્રેબ્રુઆરી સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે. વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવાના છે. સામાન્ય રીતે લાલ પોથીમાં બજેટને લાવવામાં આવતું હોય છે પરંતુ આ વખતે લાલ નહીં પરંતુ બ્લેક રંગની બ્રિફકેસ લાવવામાં આવી છે. વિધાનસભા પહોંચ્યા બાદ તેમણે નિવેદન આપ્યું કે ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું બજેટ હશે જેમાં ગરીબ, યુવાનોને,નારીશક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.  
   


આ વિભાગ માટે કરાઈ આટલા કરોડની ફાળવણી

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ અનેક યોજનાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ વિધાનસભામાં 3,32,465 કરોડનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. વિવિધ ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે 2711 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડ ફાળવાની જાહેરાત કરવામાં આવી છે. શેરી વિકાસ અન શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 



આદિજાતી વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 55114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત નમો લક્ષ્મી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે. તે ઉપરાંત નમો સરસ્વતી યોજના અંગેની માહિતી પણ આપવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઠ નગરપાલિકાને મહાનગર પાલિકમાં ફેરવવાની જાહેરાત કરવામાં આવી છે. 

એસટી વિભાગ માટે 2500 નવી બસ ખરીદવામાં આવશે. નવા સબ સ્ટેશનનો સ્થાપવા માટે 380 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ૧૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે ઉપરાંત ધો.૯ માં અભ્યાસ કરતી અંદાજે ૩૯ હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા ૨૧ કરોડની જોગવાઈ કરવામાં આવી. આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે `૫૩૯ કરોડનું આયોજન છે.  





થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!