Gujarat : Jayrajsinh Jadeja સહિત BJPના ક્ષત્રિય આગેવાનો પરસોત્તમ રૂપાલાના બચાવમાં મેદાને। વિવાદ શાંત થશે?


  • Published By :
  • Published Date : 2024-03-28 12:05:34

ગુજરાતમાં જાણે વિવાદનો વંટોળ ચાલી રહ્યો હોય તેવું લાગે છે... ક્ષત્રિય સમાજનો રોષ રૂપાલાની સતત માફી પછી પણ શાંત નથી પડ્યો એવા સમયે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વચ્ચે પડીને નિરાકરણ લાવવા માટે નવી રણનીતિ સાથે મેદાને છે અને આ રણનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવશે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા... 

માફી માગ્યા બાદ પણ શાંત નથી થયો વિવાદ!  

થોડા દિવસ પહેલા વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભૂલ ભૂલમાં ક્ષત્રિય સમાજ અને રાજા રજવાડાં પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી ગયા, એક સમાજને સારું લાગવાના ચક્કરમાં બીજો સમાજ નારાજ થયો અને સ્થિતિએ આવીને ઊભી છે કે રાજકોટમાં પણ રાજસ્થાન પેટર્નથી કહેવાય રહ્યું છે કે ભાજપ તુજસે બૈર નહીં પર રૂપાલા તેરી ખૈર નહીં! રૂપાલા માફી પણ માંગી ચૂક્યા છે પણ શકિતસિંહ ગોહિલથી માંડીને અમિત ચાવડા કોંગ્રેસ તરફથી સતત આવતા નિવેદનો અને કરણીસેનાનો રોષ વિવાદને શાંત નથી પડવા દેતો, હવે ભાજપે જયરાજસિંહ જાડેજા ને મેદાને ઉતાર્યા છે.  


વિવાદને શાંત કરવા માટે ભાજપે જયરાજસિંહ જાડેજાને ઉતાર્યા મેદાને 

ગુજરાતના અનેક રજવાડાઓમાં ભાવનગર અને ગોંડલ જેવા સ્ટેટનું વિશેષ સ્થાન રહ્યુંછે. ટીકા ટિપ્પણી કરતા લોકો મહારાજા ભગવતસિંહજી અને મહારાજ કૃષ્ણકુમારસિંહજીના સમય અને યોગદાનને ઘણી વાર ભૂલી જતા હોય છે. જયરાજસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે અને પોતાની દબંગ બેબાક છવી માટે જાણીતા છે. જે તે સમયે રીબડા ગ્રુપ સાથેના સંઘર્ષ માટે પણ જાણીતા હતા. હવે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ક્ષત્રિય આગેવાનો જેમાં હકાભાથી માંડીને જયરાજસિંહ જાડેજા નો સમાવેશ થાય છે એ લોકો વિવાદને ખાળવાની કોશિશ કરવાના છે. સંભવત આ વિવાદ હવે આજે ઉકેલાઈ જાય એવું લાગી રહ્યું છે આગળ તો કરણીસેના આ વિષયમાં કઈ બાજુ ઝુકાવ રાખે છે એના પર આધાર રહેશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.