Gujarat : ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ રહેશે હમણાં ! સંગઠનમાં હાલ ફેરફાર નથી કરવા માગતું હાઈકમાન્ડ?


  • Published By :
  • Published Date : 2024-07-20 17:04:47

ગુજરાતની રાજનીતિમાં એવું લાગતું હતું કે બહુ મોટા ફેરબદલ આવી શકે છે.. ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે.. અનેક નામોની ચર્ચાઓ થતી હતી. રેસમાં અનેક નામો આગળ ચાલતા હતા. નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તે સવાલ અનેક લોકોના મનમાં હતા. પરંતુ તેનો જવાબ સામે આવી ગયો છે.. સી.આર.પાટીલ ડિસેમ્બર સુધી પ્રદેશ અધ્યક્ષના સ્થાન પર રહેશે તેવી વાત સામે આવી છે.  



હાઈકમાન્ડ નથી કરવા માગતી ગુજરાતના સંગઠનમાં ફેરફાર!

સી.આર.પાટીલને જ્યારથી કેન્દ્રમાં મંત્રીનું પદ મળ્યું ત્યારથી ભાજપ માટે એ પ્રશ્ન હતો કે ગુજરાતમાં અધ્યક્ષ હવે કોને બનાવાય? જેનો જવાબ મળી ગયો છે. લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય થતાં ભાજપના પ્રદેશ નેતાઓનું બ્લડપ્રેશર વધી ગયું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. લોકસભાની ચૂંટણી પછી અનેરો જુસ્સો કોંગ્રેસમાં દેખાઈ રહ્યો છે. અને એટલે જ આગામી સ્થાનિક ચૂંટણીમાં ધબડકો ન થાય તે માટે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. અને એટલે જ હાઈકમાન્ડ ગુજરાતના સંગઠન માળખામાં હાલ કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. 



થોડા સમય સુધી સી.આર.પાટીલ રહેશે ગુજરાત ભાજપના અધ્યક્ષ!

હોદ્દો છોડવાની ઇચ્છા પ્રદર્શિત કરી ચૂકેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ડિસેમ્બર સુધી યથાવત્ રખાશે તેવી માહિતી સામે આવી છે.ગઈકાલે કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યું છે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી, પ્રદેશ અને જિલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે એવો સંકેત મળ્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રદેશ પ્રમુખની વરણી થવાની સંભાવના ઓછી જણાય છે. એટલે ગુજરાતમાં ભાજપ હવે કોઈ નવા પ્રયોગ કરવાના મૂડમાં નથી..



ગુજરાતમાં સી.આર.પાટીલે ભાજપને અપાવી ઐતિહાસિક જીત

મહત્વનું છે કે સી.આર.પાટીલે ગુજરાતમાં ભાજપને વિધાનસભાની ચૂંટણી વખતે ઐતિહાસિક જીત અપાવી છે. 161 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી. લોકસભાની ચૂંટણીમાં ગુજરાત માટે ભાજપે 5 લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો હતો. પાંચ લાખની લીડ વાળો ટાર્ગેટ તો પૂર્ણ ના થયો સાથે સાથે એક બેઠક ભાજપ બનાસકાંઠાની હારી ગઈ... મહત્વનું છે કે સી.આર.પાટીલને જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .