Gujarat : વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે અને કોંગ્રેસે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોણ લડશે કોની સામે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-04-15 14:18:20

એક તરફ ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે તો ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે મતદાતાઓએ મતદાન કર્યું હતું, ધારાસભ્યો પણ ચૂંટાયા પરંતુ એકાએક તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. નેતાઓ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળી પોતાના પદ પરથી રાજીનામું આપી દે છે અને ભાજપમાં જોડાઈ જાય છે.. આ બધા વચ્ચે કોંગ્રેસે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.

Image


પેટા ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસે કર્યા જાહેર 

લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. એવું લાગતું હતું કે પેટા ચૂંટણી માટે બંને પાર્ટી ગઠબંધન કરી શકે છે પરંતુ એવું ના થયું. 26 લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Article Content Image


કોને ક્યાંથી કોંગ્રેસે ઉતાર્યા ચૂંટણી મેદાનમાં?

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામની વાત કરીએ તો વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરાને ઉમેદવાર બનાવાયા છે. જ્યારે માણાવદર માટે હરિભાઈ કણસાગરા, ખંભાત માટે મહેન્દ્રસિંહ પરમારને જ્યારે વાઘોડિયા માટે કનુભાઈ ગોહિલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારના નામની જાહેરાત ઘણા સમય પહેલેથી કરી દીધી છે. જે પૂર્વ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું તેમને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્યએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી જાહેર નથી કરવામાં આવી.  ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરશે કે કેમ તે અંગેની માહિતી સામે આવી નથી...     



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.