વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે હોબાળો, એક દિવસના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યું વોક આઉટ


  • Published By :
  • Published Date : 2022-12-20 15:12:16

ગુજરાત વિધાનસભાનું આજે માત્ર એક દિવસનું સત્ર મળ્યું હતું. 15મી વિધાનસભા માટે આજે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પુરી કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપ હાઈકમાન્ડે શંકર ચૌધરીની જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરવામાં આવી છે. 


વિપક્ષે કર્યું વોકઆઉટ


ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ અને અંતિમ દિવસે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે હોબાળો થયો હતો. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ સુધી ચર્ચા ન થતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. વિધાનસભા નિયમો મુજબ 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે જે નિયમોની સંપૂર્ણપણે અવગણના કરી, વિધાનસભામાં હજુ સુધી રાજ્યપાલના પ્રવચનની નકલ પણ વિપક્ષને મળી ન હતી. એ નકલ પછી સુધારા પણ માગવામાં આવ્યા ન હતા. આ બઘા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. 


અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?


વિધાનસભામાં વિરોધ પક્ષોએ વોક આઉટ કર્યું  ત્યાર બાદ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે વોકઆઉટનું કારણ આપતા કહ્યું કે, વિધાનસભાના નિયમોમાં જે જોગવાઈ છે તે પ્રમાણે રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પછી એમની બુકલેટ વિધાનસભાના દરેક સભ્યના ટેબલ પર મૂકવી જોઈએ અને પછી તેમની પાસેથી આભાર પ્રસ્તાવની સામે તેમા સુધારો રજૂ કરવાનો કોઈપણ પક્ષને અધિકાર હોય છે. તેના પર નિયમો મુજબ 3 દિવસની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે જે નિયમોની સંપૂર્ણપણે અવગણના કરી, વિધાનસભામાં હજુ સુધી રાજ્યપાલના પ્રવચનની નકલ અમને મળી નથી અને એ નકલ પછી સુધારા પણ માગવામાં આવ્યા નથી. શાસક પક્ષે વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આજે સીધી જ રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા 2-3 કલાકમાં પૂરી કરીને પ્રજાનો અવાજ રાજ્યપાલના પ્રવચનના આધારે વિપક્ષે રજૂ કરવાનો હોય છે એ અધિકાર અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો અને પહેલા જ દિવસે નિયમોનું ઉલ્લંઘન કર્યું. અમે પોઈન્ટ ઓફ ઓર્ડર દ્વારા અધ્યક્ષનું પણ ધ્યાન દોર્યું. એટલે અમે આજે કમનસીબે પહેલા જ દિવસે, કામકાજનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યું છે.


વિધાનસભાના લાઈવ પ્રસારણની માંગ 


વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવા કોંગ્રેસે અધ્યક્ષ સમક્ષ માંગણી  કરી હતી. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં અધ્યક્ષને ગૃહનું લાઈવ પ્રસારણ શરૂ કરવા માંગણી કરી હતી. તેમણે ગૃહમાં કંઈક નવું અને ઇનોવેટીવ કરો તેવી શુભકામના પણ આપી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!