ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ચૂંટણીપંચની ટીમે ગુજરાતમાં તૈયારીઓનું નિરીક્ષણ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 16:01:30

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ચૂંટણી પંચની ટીમ અમદાવાદની ત્રણ દિવસની મુલાકાતે હતી. આયોગે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સચિવો સાથે પણ બેઠક યોજી હતી. રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે

Gujarat Assembly Election EC team visits poll bound state to prepare for  upcoming polls | India News – India TV

ચૂંટણી પંચના અધિકારીઓની એક ટીમે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચની નવ સભ્યોની ટીમ શુક્રવારથી અમદાવાદની ત્રણ દિવસની મુલાકાતે છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી સાથે પંચની ટીમે 17 અને 18 સપ્ટેમ્બરના રોજ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનરો સાથે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી.

અધિકારીઓએ મહત્વના મુદ્દાઓ પર અભિપ્રાય લીધા હતા

આ દરમિયાન અધિકારીઓએ આગામી ચૂંટણીના સુચારુ સંચાલન માટે તમામ મહત્વના મુદ્દાઓ અંગે અભિપ્રાય પણ લીધા હતા. ચૂંટણી પંચના અધિકારીઓએ નોડલ અધિકારીઓ સહિત કાયદો અને વ્યવસ્થાના અસરકારક અમલની ખાતરી કરવા વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે ગૃહ, શાળા શિક્ષણ, પાવર, ટેલિકોમ, માર્ગ અને વાહનવ્યવહાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આબકારી અને મહેસૂલ સહિતના રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સચિવો સાથે પણ બેઠક યોજી હતી.

ડિસેમ્બર સુધીમાં ચૂંટણી થઈ શકે છે

તેમણે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે બેઠક યોજીને આગામી ચૂંટણીના સુચારુ સંચાલન માટે મળેલા પ્રતિસાદ અંગે ચર્ચા કરી હતી. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થશે. ચૂંટણી પંચ આ સમયગાળાના છ મહિનામાં ગમે ત્યારે ચૂંટણી યોજી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં ડિસેમ્બર સુધી ચૂંટણી થઈ શકે છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.