ગુજરાત વિધાનસભા ચૂંટણી: 27 વર્ષના શાસનમાં ભાજપે કેમ એક જ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા?


  • Published By :
  • Published Date : 2022-10-28 19:11:18


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ભારતીય જનતા પાર્ટી (BJP) એ 1980 માં તેની સ્થાપના પછી ગુજરાતમાં યોજાયેલી તમામ નવ વિધાનસભા ચૂંટણીઓમાં માત્ર એક જ વાર મુસ્લિમને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા પર રહેલી ભાજપે 24 વર્ષ પહેલા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર છેલ્લીવાર મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા, જેને હારનો સામનો કરવો પડ્યો હતો.


કોંગ્રેસે કુલ 70 મુસ્લિમ નેતાઓને મેદાનમાં ઉતાર્યા 


મુસ્લિમોને ઉમેદવાર તરીકે ઉતારવામાં કોંગ્રેસનો રેકોર્ડ ભાજપ કરતાં સારો  છે, પરંતુ કોંગ્રેસ વસ્તીના હિસાબથી તેમને ટિકિટ આપવામાં પણ કચાશ રાખી છે. 1980 થી 2017 દરમિયાન યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 70 મુસ્લિમ નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી 42 જીત્યા હતા.


વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટ્યું


છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે છ મુસ્લિમોને ટિકિટ આપી હતી જેમાંથી ચાર જીત્યા હતા. 2012ની ચૂંટણીમાં તેમણે પાંચ મુસ્લિમોને ટિકિટ આપી અને બે જીત્યા. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસે છ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી ત્રણ જીત્યા હતા. એ જ રીતે 2002માં પાંચમાંથી ત્રણ, 1998માં આઠમાંથી પાંચ, 1995માં એક, 1990માં 11માંથી બે, 1985માં 11માંથી આઠ અને 1980માં 17માંથી 12 ઉમેદવારો જીત્યા હતા.


મુસ્લીમો રાજ્યમાં સૌથી મોટી લઘુમતી


2011ની વસ્તીગણતરી મુજબ, મુસ્લિમો ગુજરાતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે, જે રાજ્યની વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી લગભગ 30માં વસ્તીના 10 ટકા અને વસ્તીના 15 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં થવાની છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023 ના રોજ સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.