પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓ નાગરિત્વ મેળવ્યા બાદ પ્રથમ વખત મતદાન કરશે


  • Published By :
  • Published Date : 2022-11-27 14:02:40

ગુજરાત વિધાનસભાની  ચૂંટણીમાં પાકિસ્તાની મૂળના હિંદુઓ પણ પ્રથમ વખત મતદાન કરશે. રાજકોટ જિલ્લામાં નિવાસ કરતા આ પાકિસ્તાની હિંદુઓને ભારતનુ નાગરિત્વ મળ્યા પછી તેઓ હવે મતદાન કરવાને હક્કદાર બન્યા છે. પાકિસ્તાનમાંથી ગુજરાતમાં આવેલા કુલ 135 સ્થળાંતર કરનારાઓ રાજકોટ જિલ્લામાં આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.


નાગરિત્વ મળતા ખુશ


આ પાકિસ્તાની હિંદુઓએ નાગરિત્વ મળ્યા બાદ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ખુબ ખુશ છે, કે તેઓ હવે તેમનું પાકિસ્તાની શરણાર્થી જીવન છોડી શકે છે અને હવે તેઓ 'પાકિસ્તાની' કહેવાશે નહીં.


ચૂંટણી કાર્ડ બન્યું વાસ્તવિક ઓળખ 


આ પાકિસ્તાની હિંદુઓમાંથી મોટા ભાગના લોકો રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહે છે.  ભારતીય નાગરિકતા મેળવનાર હિંદુઓએ કહ્યું, “ચૂંટણી કાર્ડ હવે અમારી વાસ્તવિક ઓળખ છે."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?