વાઘોડિયાનાં “દબંગ અને બાહુબલી”ફરી વિવાદમાં, મધુ શ્રીવાસ્તવે હરિફ ઉમેદાવારોને કહ્યા 'છક્કાઓ'


  • Published By :
  • Published Date : 2022-11-29 14:30:14

ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા વાઘોડિયાનાં દબંગ નેતા મધુ શ્રી વાસ્તવ ફરી એક વિવાદમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે વડોદરા પાસે આવેલા જરોદ ખાતે તેમના પ્રચાર કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. મધુ શ્રીવાસ્તવે તેમના ભાષણમાં હરિફ ઉમેદવારોને પડકાર્યા હતા.


મધુ શ્રીવાસ્તવે ભાષણમાં શું કહ્યું? 


વાઘોડિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે તેમના ભાષણમાં લોકોને સંબોધતા કહ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું, હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો... હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે. જેમણે મદિરા પિવડાવવાના ધંધા કર્યા, બીજું કશું કર્યું નથી. તેમને સબક શિખવાડવો જોઇએ કે લોકોનાં કામ કરો. વિકાસના કાર્ય કરો, લોકોને રોજી રોટી મળે એ કામ કરો. પાણી પહોંચાડવાના પ્રયાસ કરો. નાત-જાત ભેદભાવ વિના લોકોના નિઃસ્વાર્થ કામ કરો. 25 વર્ષના ઈતિહાસમાં વાઘોડિયા અને નંદેસરીના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કોઈ દિવસ કંપનીના માલિક કે મેનેજર પાસે ચૂંટણી ફંડ માગ્યું નથી. કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. 5 તારીખે 7 નંબરનું બટન દબાવીને વિજયી બનાવશો તેની મને ખાતરી છે. અડધી રાત્રે મધુ શ્રીવાસ્તવ કામ આવશે. બીજું કોઈ કામ નહીં આવે. બે ઉમેદવારોએ તો ડિપોઝિટ બચાવી લેવી પડશે. વેપારીઓને વિનંતી કરું છું, તમારા ગ્રાહકોને પણ મને મત આપવા કહેજો. 2002માં આખું ગુજરાત ભળકે બળતું હતું, પણ મારા વાઘોડિયાને ભળકે બળવા દીધું નથી અને જાનહાનિ થવા દીધી નથી અને આગળ વધ્યો છું.


વાઘોડિયા બેઠકના સમીકરણો


વડોદરા જિલ્લાના વાઘોડિયાની બેઠક પર છેલ્લા છ ટર્મથી જીતતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ વખતે અપક્ષ ઉમેદવાર છે. તેમની સામે ભાજપે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી છે. શ્રીવાસ્તવની સાથે ભાજપના નેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બળવાખોર બનીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોવાથી સ્પર્ધા રસપ્રદ બની છે. કોંગ્રેસે વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ટિકિટ આપી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.