વિધાનસભાની ચૂંટણી ટાણે જ પક્ષોને આદિવાસીઓની યાદ કેમ આવે છે, શું છે તેમની મજબુરી?


  • Published By :
  • Published Date : 2022-11-21 19:28:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નજીક છે ત્યારે વિકાસની રાજનીતિ બાજુ પર રહીં ગઈ છે. તમામ પક્ષો જાતિગત સમિકરણો બેસાડવામાં પડ્યા છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટો તમામ રાજકીય પક્ષોના નેતાઓના ફોક્સમાં આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આદિવાસીઓને રીઝવવા રીતસર મથામણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનું ચૂંટણી પ્રચાર અભિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચલાવી રહ્યા છે. જો કે તે બાબત પણ મહત્વની છે કે આદિવાસીઓ હંમેશાથી કોંગ્રેસની કમિટેડ વોંટબેંક રહી છે. હવે સવાલ એ થાય છે કે તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ આદિવાસીઓના શરણે કેમ જઈ રહ્યા છે?


ગુજરાતમાં એક કરોડ આદિવાસીઓ


ગુજરાતમાં આદિવાસી સમુદાય ખુબ મોટી સંખ્યામાં છે. દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના પટ્ટામાં લગભગ એક કરોડ આદિવાસીઓની વસ્તી છે. આ વસતિમાંથી 82થી 84 લાખ જેટલા મતદારો છે. તેમાં પણ 15 લાખ આદિવાસી તો એવા છે જે આજે પણ અંતરિયાળ જંગલોમાં વસવાટ કરે છે. બાકી, મોટાભાગના આદિવાસીઓ ભલે ખેતી સાથે સંકળાયેલા હોય પણ શિક્ષિત છે. આદિવાસી સમાજના લોકો સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં 29 પેટા જ્ઞાતિ છે, રાજ્યમાં આદિવાસીઓની ખુબ સમૃધ્ધ સંસ્કૃતિ, પરંપરા, તહેવારો, લોકકળા, ભાતીગળ પહેરવેશ અને લોક મેળા છે. ચૂંટણીના સમયે જ તમામ પાર્ટીઓને આદિવાસીઓની યાદ આવે છે. 


રાજ્યની 27 સીટ આદિવાસી માટે અનામત


ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. જેમ કે દાંતા, ખેડબ્રહ્મા, ભીલોડા, મોરવા હડફ, સંતરામપુર, ફતેપુરા, દાહોદ, ઝાલોદ, લીમખેડા, ગરબાડા, છોટા ઉદેપુર, જેતપુર પાવી,સંખેડા, નાંદોદ, ડેડીયાપાડા, ઝઘડિયા, માંડવી, મહુવા, માંગરોળ, વ્યારા, નિઝર, ડાંગ, ગણદેવી, વાંસદા, ધરમપુર, કપરાડા,ઉંમરગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની 38 બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી છે. 


વર્ષ 2017માં કયા પક્ષને કેટલી સીટો મળી?


કોંગ્રેસ-15
ભાજપ-09 
BTP-02
અપક્ષ-01


ભાજપ આદિવાસીઓના દિલ જીતવામાં નિષ્ફળ કેમ? 


ગુજરાતમાં ભાજપનું છેલ્લા 27 વર્ષથી શાસન છે, જો કે તેમ છતા ભાજપ આદિવાસી પટ્ટા જોઈએ તેવી પેઠ બનાવી શકી નથી. ભાજપે કોંગ્રેસના આયાતી આદિવાસી ધારાસભ્યોને આવકાર્યા છે પણ આદિવાસીઓએ ભાજપના ઉમેદવારોને નકાર્યા છે તે પણ નગ્ન સત્ય છે. ભાજપનું હિંદુત્વનું કાર્ડ આદિવાસીઓ પર કોઈ અસર કરી શક્યું નથી. ભાજપની સરકારે આદિવાસી વિસ્તારોમાં વિકાસના કાર્યો કર્યા છે પણ તેમ છતાં તે છેવાડાના વનવાસીનું દિલ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. આદિવાસીઓ વર્ષોથી કોંગ્રેસના વફાદાર મતદારો રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે