ગુજરાતની આ બેઠક પર ત્રણ દાયકાથી રાજ કરે છે આયાતી ઉમેદવારો, લોકોમાં પણ ભારે અસંતોષ


  • Published By :
  • Published Date : 2022-11-25 22:15:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યની મોટાભાગની વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવારો જ ચૂંટણી લડી રહ્યા છે, જો કે કેટલીક બેઠકો એવી પણ છે જ્યાં સ્થાનિક ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા નથી. જેથી સ્થાનિકોમાં આવા પેરાશુટ ઉમેદવારો પ્રત્યે અસંતોષ જોવા મળે છે. પણ ગુજરાતની એક સીટ એવી પણ જ્યા છેલ્લા 30 વર્ષથી કોઈ સ્થાનિક ઉમેદવાર ચૂંટણી જ લડ્યો નથી. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા બેઠક ભાજપ અને કોંગ્રેસે હંમેશા આયાતી ઉમેદવારોને જ ટિકિટ આપી છે.


તાલાલાના લોકોના નસીબમાં આયાતી ઉમેદવારો

તાલાલા વિધાનસભા બેઠક પર સ્થાનિક વ્યક્તિને ઉમેદવાર શા માટે બનાવવા નથી આવતો તે અંગે સવાલો થતા રહે છે. જો કે આ મુદ્દે રાજકીય પક્ષોના નેતાો સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું કે તાલાલા તાલુકામાં સંગઠનની નબળાઈ, લોકોપ્રિય સ્થાનિક નેતાનો અભાવ, ઉમેદવારની આર્થિક સદ્ધરતા પણ ન હોવાથી લોકોને સ્થાનિક ઉમેદવાર મળતો નથી. તાલાલા તાલુકાના પ્રાણ પ્રશ્નો દાયકાઓ પછી આજે પણ જેમના તેમ જ છે. જેમાં ઇકોસેન્સટિવ ઝોન, કેસર કેરીને બાગાયતી પાક વીમામાં સમાવવો, તેમજ બંધ શુગર મિલ જેવા પ્રાણ પ્રશ્નો તાલાલાના મતદારો માટે મહત્વના છે.


તાલાલામાં કોઈ ધારાસભ્ય કાયમી નહીં

તાલાલાનો ચૂંટણી જંગ રસપ્રદ રહેવાનું એક ખાસ કારણ છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા. આ બેઠક પર કોઇ પણ પક્ષ માટે પ્રજાનું મન જાણવું મુશ્કેલ કાર્ય છે. 1975માં તાલાલા બેઠકની રચના થઇ હતી. 1975થી 2012 સુધીની ચૂંટણી પર નજર નાંખવામાં આવે તો બીજી ટર્મ માટે કોઇ જીતતું નથી. 1975 બાદ બે વખત એક માત્ર જશુભાઇ બારડની જીત જ થઇ છે. ભાજપના ઉમેદવાદ ગોવિંદભાઇ બન્ને વાર જશુભાઇ સામે હાર્યા છે. એટલે જ આ બેઠકને પોતાનો ગઢ બનાવવો કોઇ પણ પક્ષ માટે લગભગ અશક્ય છે.


આ વખતે ત્રિપાંખિયો જંગ

તાલાલા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ પણ જોવા મળશે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનાર ભાજપના ભગવાન બારડ સામે ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ યુવા નેતા માનસિંગ ડોડીયા છે, તો આપમાંથી કોળી સમાજના શિક્ષિત યુવા નેતા દેવેન્દ્ર સોલંકી ભાજપ-કોંગ્રેસ બન્ને માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં  તાલાલા બેઠક પર કોણ બાજી મારી જશે તે કહેવું મુશ્કેલ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે