ગુજરાતની આ બેઠક પર ત્રણ દાયકાથી રાજ કરે છે આયાતી ઉમેદવારો, લોકોમાં પણ ભારે અસંતોષ


  • Published By :
  • Published Date : 2022-11-25 22:15:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યની મોટાભાગની વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવારો જ ચૂંટણી લડી રહ્યા છે, જો કે કેટલીક બેઠકો એવી પણ છે જ્યાં સ્થાનિક ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા નથી. જેથી સ્થાનિકોમાં આવા પેરાશુટ ઉમેદવારો પ્રત્યે અસંતોષ જોવા મળે છે. પણ ગુજરાતની એક સીટ એવી પણ જ્યા છેલ્લા 30 વર્ષથી કોઈ સ્થાનિક ઉમેદવાર ચૂંટણી જ લડ્યો નથી. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા બેઠક ભાજપ અને કોંગ્રેસે હંમેશા આયાતી ઉમેદવારોને જ ટિકિટ આપી છે.


તાલાલાના લોકોના નસીબમાં આયાતી ઉમેદવારો

તાલાલા વિધાનસભા બેઠક પર સ્થાનિક વ્યક્તિને ઉમેદવાર શા માટે બનાવવા નથી આવતો તે અંગે સવાલો થતા રહે છે. જો કે આ મુદ્દે રાજકીય પક્ષોના નેતાો સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું કે તાલાલા તાલુકામાં સંગઠનની નબળાઈ, લોકોપ્રિય સ્થાનિક નેતાનો અભાવ, ઉમેદવારની આર્થિક સદ્ધરતા પણ ન હોવાથી લોકોને સ્થાનિક ઉમેદવાર મળતો નથી. તાલાલા તાલુકાના પ્રાણ પ્રશ્નો દાયકાઓ પછી આજે પણ જેમના તેમ જ છે. જેમાં ઇકોસેન્સટિવ ઝોન, કેસર કેરીને બાગાયતી પાક વીમામાં સમાવવો, તેમજ બંધ શુગર મિલ જેવા પ્રાણ પ્રશ્નો તાલાલાના મતદારો માટે મહત્વના છે.


તાલાલામાં કોઈ ધારાસભ્ય કાયમી નહીં

તાલાલાનો ચૂંટણી જંગ રસપ્રદ રહેવાનું એક ખાસ કારણ છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા. આ બેઠક પર કોઇ પણ પક્ષ માટે પ્રજાનું મન જાણવું મુશ્કેલ કાર્ય છે. 1975માં તાલાલા બેઠકની રચના થઇ હતી. 1975થી 2012 સુધીની ચૂંટણી પર નજર નાંખવામાં આવે તો બીજી ટર્મ માટે કોઇ જીતતું નથી. 1975 બાદ બે વખત એક માત્ર જશુભાઇ બારડની જીત જ થઇ છે. ભાજપના ઉમેદવાદ ગોવિંદભાઇ બન્ને વાર જશુભાઇ સામે હાર્યા છે. એટલે જ આ બેઠકને પોતાનો ગઢ બનાવવો કોઇ પણ પક્ષ માટે લગભગ અશક્ય છે.


આ વખતે ત્રિપાંખિયો જંગ

તાલાલા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ પણ જોવા મળશે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનાર ભાજપના ભગવાન બારડ સામે ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ યુવા નેતા માનસિંગ ડોડીયા છે, તો આપમાંથી કોળી સમાજના શિક્ષિત યુવા નેતા દેવેન્દ્ર સોલંકી ભાજપ-કોંગ્રેસ બન્ને માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં  તાલાલા બેઠક પર કોણ બાજી મારી જશે તે કહેવું મુશ્કેલ છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.