ભાજપના હેમા માલિની, રવિ કિશન, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ ચૂંટણી પ્રચારથી રહ્યા અળગા


  • Published By :
  • Published Date : 2022-12-03 20:30:16

ગુજરાત વિધાસનભાની ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ તમામ જોર લગાવી રહી છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આગામી 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે, ભાજપે ગુજરાતના તેમના 40 જેટલા સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા હતા. આ સ્ટાર પ્રચારકોના પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટી દ્રારા પાંચ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા હતા આ માટે કમલમની પાછળ યુદ્ધના ધોરણે બે હેલીપેડ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે આ વખતે કેટલાક સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારથી તદ્દન અલગ રહ્યા છે.


કોણ હતા ભાજપના સ્ટાર પ્રચારક?


1. પીએમ નરેન્દ્રભાઈ મોદી 2. પાર્ટી પ્રમુખ જે.પી. નડ્ડા 3 રાજનાથ સિંહ 4. અમિતભાઈ શાહ 5. નીતિન ગડકરી 6. સી. આર. પાટીલ 7. ભૂપેન્દ્રભાઈ પટેલ 8.અર્જુન મુંડા 9. સ્મૃતિ ઈરાની 10.  ધર્મેન્દ્ર પ્રધાન 11. મનસુખભાઈ માંડવિયા 12. ભૂપેન્દ્ર યાદવ13. પરષોત્તમભાઈ રૂપાલા 14. ભારતીબેન શિયાળ 15. સુધીરજી ગુપ્તા 16. યોગી આદિત્યનાથ 17. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ 18. આસામના સીએમ હેમંત બિસ્વા હેમંત બિશ્વ શર્મા 19.  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 20. વિજય રૂપાણી 21. નીતિન પટેલ 22. વજુભાઈ વાળા 23. રત્નાકર 24. અભિનેતા દિનેશ લાલ યાદવ (નિરહુઆ) 25. ભોજપુરી અભિનેતા રવિ કિશન 26.  ભોજપુરી અભિનેતા અને ગાયક મનોજ તિવારી 27.તેજસ્વી સૂર્ય 28. હર્ષ સંઘવી 29. અભિનેત્રી હેમા માલિની 30. અભિનેતા પરેશ રાવલ 31. પ્રદિપસિંહ વાઘેલા 32. વિનોદભાઈ ચાવડા 33. મનસુખભાઈ વસાવા 34. પૂનમબેન માડમ 35. પ્રશાંતભાઈ કોરાટ 36. શંભુપ્રસાદજી ટુંડિયા 37. કુંવરજીભાઈ બાવળિયા 38. ગણપતભાઈ વસાવા 39. પરષોત્તમભાઈ સોલંકી 40.પરિન્દુ ભગત


ચૂંટણી પ્રચારથી કોણ અળગું રહ્યું?


ભાજપના સ્ટાર પ્રચારકો પૈકીના મોટા ભાગના સેલિબ્રિટી ચૂંટણી પ્રચાર અભિયાનથી દુર રહ્યા હતા. જેમ કે લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી હેમા માલિની, ભોજપુરી અભિનેતા રવિ કિશન, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ (નિરહુઆ) પ્રચાર અભિયાનથી અળગા રહ્યા છે. 


કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગાયબ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ઓછા જોવા મળ્યા છે. તેમાં પણ ગાંધી પરિવારના રાહુલ ગાંધીને બાદ કરતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી પ્રચારથી દુર રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ માત્ર એક જ રેલી કરી હતી. આ વખતે ચૂંટણી પ્રચારનો તમામ ભાર સ્થાનિક નેતાઓ  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાળિયાના ખભા પર રહ્યો હતો.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.