નૌતમ સ્વામી બાદ હવે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનો ભાજપ માટે પ્રેમ ઉભરાયો, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-23 12:21:24

ગુજરાત વિધાન સભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે હવે આ પ્રચાર અભિયાનમાં સાધુ-સંતો પણ કુદી પડ્યા છે, બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કમળને મત આપવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. 



શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ શું કહ્યું?


સ્વામિનારાણય સંપ્રદાયના સાધુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ હરિદ્વાર ખાતે યોજાયેલી તેમની કથામાં કમળના નિશાન પર બટન દબાવવાની અપીલ કરી હતી. આ વિડીયોમાં સાધુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે લક્ષ્મીના હાથમાં જે કમળ છે તેના પર બટન દબાવજો અને ગામની શેરીઓ સાફ કરવી હોય, મજૂર થવું હોય તો બીજા પર બટન દબાવજો. એટલું જ નહીં જો વોટ નહીં આપો તો, કોઈને કહેવાનો અધિકાર નથી તેમ ઉલ્લેખ કરી મતદાન કરવા જણાવ્યું હતું. હરિપ્રકાશ સ્વામીના વીડિયોએ ચૂંટણીના માહોલમાં અપીલ કરતો વીડિયો વાયરલ વિવાદ સર્જાયો છે અને તેના રાજકીય પડઘા પડશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે