શંકરસિંહ વાઘેલાની જીભ લપસી, બાપુએ કોંગ્રેસના બદલે કમળને મત આપવાની કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-12-02 18:42:03

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાના વોટિંગ પહેલા કોંગ્રેસ પાર્ટી એક્ટિવ થઈ ચૂકી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાયડથી ચૂંટણી લડી રહેલા તેમના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર સિંહ વાઘેલા માટે પ્રચાર કર્યો હતો. આ દરમિયાન જીભ બાપુની લપસી ગઈ હતી.


બાપુએ શું બફાટ કર્યો?


શંકરસિંહ બાપુએ બાયડમાં મીડિયા સાથે ચર્ચા કરતા ભાંગરો વાંટ્યો હતો. બાપુએ કોંગ્રેસ માટે મત માગવાની જગ્યાએ ભૂલથી ભાજપનો પ્રચાર કરી દીધો હતો તેમણે કહ્યું કે કમળ પર મતદાન આપીએ, જો કે શંકરસિંહે સમયસૂચકતા દાખવીને પોતાની વાત બદલી નાખી અને કહ્યું હતું કે ભાજપને જાકારો આપીને કોંગ્રેસના ઉમેદવારોને વીજયી બનાવે જનતા એવો સંદેશ આપું છું. બાપુના ક્લિપ હાલ ખુબ વાઈરલ થઈ રહી છે.


શંકરસિંહે ભાજપ પર કર્યા પ્રહાર


શંકરસિંહ વાઘેલાએ રેલીમાં કહ્યું કે કોંગ્રેસને હવે એક તક જનતા આપે. કામ ન ગમે તો પાર્ટીને સત્તા પરથી દૂર કરી દેજો. પરંતુ છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. બેરોજગારી, મોંઘવારી પેન્શનનો મુદ્દે તથા પેપર લિક કૌભાંડ વિશે જનતા જાણે છે. પ્રથમ ચરણમાં મતદાનમાં નીરસતા જોવા મળી છે. ગુજરાતની જનતાને ભાજપથી નફરત છે, આ સરકાર માટે હરખાવા જેવું નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.