SC/ST નું પ્રભુત્વ ધરાવતી 50 બેઠકો પર કેવું રહ્યું છે ભાજપ-કોંગ્રેસનું પ્રદર્શન?


  • Published By :
  • Published Date : 2022-11-23 15:42:16

ગુજરાતમાં SC/ST નું પ્રભુત્વ ધરાવતી 50  બેઠકો છે. જે પણ પાર્ટી આ સીટો પર સારો દેખાવ કરે તેના માટે રાજ્યમાં શાસન કરવાની શક્યતા વધી જાય છે. પરંતુ છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીના પરિણામોને જોતા કોઈ એક પક્ષ આ સીટો પર પ્રભુત્વનો દાવો કરી શકે તેમ નથી.


વર્ષ 2012-17માં કેવું રહ્યું ભાજપ-કોંગ્રેસનું પ્રદર્શન


વર્ષ 2012માં, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત અને અમદાવાદ-ગાંધીનગર શહેરી પટ્ટામાં ફેલાયેલી મોટાભાગની SC બેઠકો ભાજપની તરફેણમાં હતી. કેસરીયા પાર્ટીએ 20 SC માંથી 15 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. પરંતુ 2017ની ચૂંટણી એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. 2017માં કોંગ્રેસ 10 બેઠકો સાથે વધુ સારું પ્રદર્શન કરે છે જ્યારે ભાજપે 9થી સંતોષ માનવો પડ્યો હતો.


પાટીદાર આંદોલનથી કોંગ્રેસનો લાભ


તે પણ ન ભૂલવું જોઈએ કે વર્ષ 2017ની ચૂંટણી, પાટીદાર આંદોલન, અને પાટીદાર સમુદાય દ્વારા OBCનો દરજ્જો અને અનામતની માંગને પગલે થઈ હતી. પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીને તેની સંખ્યા સુધારવામાં અપ્રત્યક્ષ રીતે મદદ કરી હતી. જો કે આ વખતે માહોલ બદલાયેલો છે, જેમાં હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.


32 ST બેઠકો પર કોનું પ્રભુત્વ?


ગુજરાતની મોટાભાગની 32 ST બેઠકો મધ્યપ્રદેશની સરહદે આવેલી છે, 2012 અને 2017 બંનેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ સીટોનું વિભાજન થઈ ગયું હતું. ભાજપે 2012માં 15 બેઠકો જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી, 2017માં, ભાજપની સંખ્યા નજીવી રીતે ઘટીને 14 થઈ ગઈ, જ્યારે કોંગ્રેસે 17 બેઠકો જીતીને તેનું પ્રદર્શન વધુ સારું કર્યું હતું.


ભાજપ અનેક યોજનાઓ દ્વારા આદિવાસીઓને આકર્ષી રહ્યું છે, અને દ્રૌપદી મુર્મુને દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનાવવાનો પણ દાવો કરે છે. જો કે ભાજપના આ દાવાની આદિવાસી મતદારોમાં કેવી અસર કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.