PM મોદીનું મુખ્ય ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર, 3 દિવસમાં 7 રેલીઓ ગજવશે


  • Published By :
  • Published Date : 2022-11-17 11:47:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ત્રણેય પક્ષો પ્રજાને રિઝવવા તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં જઈને ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભાજપ પણ સત્તામાં પાછા ફરવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. ભાજપે તો તેના સ્ટાર પ્રચારકોની મોડી ફોજ ઉતારી દીધી છે. જો કે   તેના સૌથી મોટા પ્રચારક પીએમ નરેન્દ્ર મોદી વગર તો બધું  અધુરૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાયુવેગે પ્રચાર અભિયાન શરૂ કરે  તેવા સમાચાર સુત્રો પાસેથી મળી રહ્યા છે.


PM મોદી કરશે ઝંઝાવાતી પ્રચાર


PM મોદી રાજ્યમાં 20થી 22 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં સાત રેલીઓ કરશે. આ રેલીઓમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી આશા છે. PM મોદીની ચૂંટણી સભાઓ, રેલીઓ અને રોડ શોનો સંપૂર્ણ કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. PM G20 સમિટમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયા ગયા હોવાથી ભાજપ તે અંગેની મંજૂરી મેળવવા અને રેલીના સ્થળોને અંતિમ રૂપ આપવા માટે તેમના પરત ફરવાની રાહ જોઈ રહી હતી. હવે પીએમ મોદી ભારત ફર્યા હાવોથી  તેમની રેલીઓને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PMની રેલીઓના પ્રચાર અભિયાનનું મુખ્ય ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત રહેશે. તેમના પ્રયાર કાર્યક્રમનમો પ્રારંભ 20 નવેમ્બરના દિવસે સૌરાષ્ટ્રથી થશે, મોદી સૌરાષ્ટ્રમાં ત્રણ રેલીઓ કરશે. ત્યાર બાદ 21 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં બે અને સૌરાષ્ટ્રમાં ફરી પાછી એક રેલી સંબોધશે. 22 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં જ મોદીની બે રેલી યોજાવાની છે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફોકસ શા માટે?


ગુજરાતમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો હતો. ભાજપને 2017માં માત્ર 19 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસે અહીં 28 બેઠકો કબજે કરી હતી. જો કે 2012માં ભાજપે અહીં 30 બેઠકો જીતી હતી, ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી સૌરાષ્ટ્રમાં 48 બેઠકો છે. સૌરાષ્ટ્રમાં જ પ્રથમ તબક્કાનું એટલે કે 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!