PM મોદી ગુજરાતની મુલાકાતે, મહંત સ્વામી અને માતા હીરાબાના આશિર્વાદ લીધા


  • Published By :
  • Published Date : 2022-12-04 18:55:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ ગુજરાતમાં આવતા જ તેમણે BAPSના મહેત સ્વામી તથા માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. માતાના આશિર્વાદ લીધા બાદ તેઓ કમલમમાં જવા રવાના થયા છે. પીએમ મોદી આવતી કાલે અમદાવાદના રાણીપમાં મતદાન કરશે. 


પીએમ મોદીએ માતા હીરાબાના આશિર્વાદ લીધા


પીએમ મોદીએ આજે પહેલા મહંતસ્વામીના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ તેઓ પોતાના માતા હીરા બાના દર્શન માટે ગાંધીનગર પહોંચ્યા હતા. હીરાબાને મળવા માટે તેઓ ભાઇના નિવાસ સ્થાન વૃંદાવન -2 બંગ્લોઝમાં મળવા માટે પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ કમલમ જવા માટે રવાના થયા હતા. અહીં તેઓ મતદાન પહેલાની અંતિમ તૈયારીઓ અંગે માહિતી મેળવશે અને માર્ગદર્શન આપશે. 


આવતી કાલે મતદાન કરશે


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્ક અંતર્ગત 5 ડિસેમ્બર, 2022 ના દિવસે બીજા તબક્કાનું મતદાન થશે. 93 બેઠકો પર આવતીકાલે સવારે મતદાન થવાનું છે. આ તબક્કામાં વડાપ્રધાન મોદીનું પણ મતદાન હોવાથી તેઓ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આવતીકાલે સવારે તેઓ 8.30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવેલી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચશે. 


પોલીસ બંદોબસ્ત વચ્ચે કરશે મતદાન


પીએમ મતદાન કરવા માટે આવવાના હોવાને કારણે નિશાન સ્કુલ ખાતે તમામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપીજી દ્વારા અને શહેર પોલીસ દ્વારા પણ કડક સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. નિશાંત સ્કુલ પર સમગ્ર રાષ્ટ્રના મીડિયાની નજર પણ રહેવાની હોવાથી શાળા અને મતદાનમાં કોઇ કચાશ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.