ચૂંટણીમાં કેટલો છે પાટીદાર પાવર, રાજકીય પક્ષો શા માટે આપે છે પટેલોને આટલું મહત્વ? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-18 15:07:40

ગુજરાતમાં પાટીદારો સૌથી સંગઠિત સમાજ છે. કોઈ પણ રાજકીય પક્ષ તેમની અવગણના કરી શકે તેમ નથી. પાટીદાર સમાજ શિક્ષણ, બિઝનેશ અને સામાજીક ક્ષેત્રે ખુબ જ પ્રગતિશીલ પણ છે. ભાજપે વર્ષ 2017માં પાટીદારોની અવગણના કરી હતી તો તેને જબરદસ્ત ફટકો પડ્યો અને રાજ્યમાં માત્ર 99 સીટો જ મળી શકી હતી. સૌરાષ્ટ્રમાં તો ભાજપનો લગભગ સફાયો જ થઈ ગયો હતો. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ પાટીદારોનો દબદબો યથાવત છે.


ભાજપ, કોંગ્રેસ અને AAPએ કેટલા પાટીદારોને ટિકિટ આપી?


રાજ્યના સક્રિય તમામ રાજકીય પક્ષોએ પાટીદારોને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં પણ આમ આદમી પાર્ટીએ સૌથી વધુ 46 જ્યારે ભાજપે 43, કોંગ્રેસે 17 પાટીદારોને તમના ઉમેદવાર બનાવ્યા છે. પાટીદારોમાં વર્ષોથી બે ભાગ છે. એક, લેઉવા પટેલ અને બીજા કડવા પટેલ જો કે આ વખતની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે લેઉવા પટેલોને વધારે ટિકિટ આપી છે. આ ચૂંટણીમાં ભાજપે પાંચ સીટ પર પાટીદારના બદલે બીજી જ્ઞાતિના ઉમેદવાર પર દાવ અજમાવ્યો છે, તેનો અર્થ એ થયો કે ભાજપ ધીમે-ધીમે જ્ઞાતિવાદનું ફેક્ટર ખતમ કરવા માગે છે અને તેની શરૂઆત આ વખતની ચૂંટણીથી કરી છે.


રાજ્યની 50 સીટ પર પાટીદાર પાવર


ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.


પાટીદાર સાંસદો અને ધારાસભ્યો કેટલા? 


ગુજરાતમાં પાટીદારો પ્રભુત્વ કેટલું છે તે બાબત તો તેમના સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા પરથી ખબર પડી જશે. રાજ્યની 182 વિધાનસભા સીટોમાંથી 44 ધારાસભ્ય પાટીદાર છે, જ્યારે લોકસભાની 26 બેઠકમાંથી 6 સાંસદ પાટીદાર સમાજના છે. તે જ રીતે રાજ્યસભાની 11 બેઠકમાથી 3 સાંસદ પણ પાટીદાર છે.


કમનશીબ પાટીદાર મુખ્યમંત્રીઓ


ગુજરાતમાં પાટીદાર મતદારો સંગઠીત હોવાથી રાજ્યમાં સૌથી વધુ 4 પાટીદારો મુખ્યમંત્રી બન્યા છે., જેમાં બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ  અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. તેમાં પણ ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બે વાર મુખ્યમંત્રી બન્યા છે. જો કે રસપ્રદ બાબત એ છે કે આ તમામ પાટીદાર મુખ્યમંત્રીઓ તેમની પાંચ વર્ષ વર્ષની ટર્મ પણ પુરી શક્યા ન હતા. બાબુભાઈને કટોકટી, ચીમનભાઈને નવનિર્માણ આંદોલન કેશુભાઈ પટેલ ને  એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. જ્યારે આનંદીબેન પટેલ તો પાટીદાર અનામત આંદોલનનો જ ભોગ બન્યા હતા.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.