બંગાળીઓ અંગે નિવેદન કરી બરાબરના ફસાયા પરેશ રાવલ, વિરોધ વધતા માંફી માગી


  • Published By :
  • Published Date : 2022-12-02 16:55:56

ભાજપના પૂર્વ સાંસદ અને બોલિવુડ કલાકાર પરેશ રાવલ તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈ બરાબરના ફસાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે પ્રચાર કરવા આવેલા પરેશ રાવલે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ અંગે ઉલ્લેખ કરતા એવું બોલી ગયા કે સોશિયલ મીડિયા પર યુઝર્સે પરેશ રાવલને નિશાન બનાવ્યા હતા. અતં  વિવાદ ખુબ વધી જતા પરેશ રાવલને યૂ ટર્ન લેવાની ફરજ પડી હતી અને  તેમણે તેમના નિવેદનને લઈ સ્પષ્ટતા કરતા માંફી માંગવી પડી હતી.

  

પરેશ રાવલનું નિવેદન શું હતું? 

 

વલસાડમાં એક રેલી સંબોધતા અભિનેતા પરેશ રાવલે ગેસ સિલિન્ડરની વધતી કિંમતોને લઈને કોંગ્રેસના વિરોધ વચ્ચે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'ગેસ સિલિન્ડરના ભાવ ફરી એક વખત નીચે આવશે, પરંતુ જો રોહિંગ્યાઓ કે બાંગ્લાદેશીઓ તમારા ઘરની નજીક રહેવા લાગશે ત્યારે તમે શું કરશો, શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો.'


પરેશ રાવલે યુ ટર્ન લીધો


પરેશ રાવલ સામે સોશિયલ મીડિયા પર વિરોધ વધતા અંતે શુક્રવારે સવારે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું હતું. પરેશ રાવલને પોતાની ભૂલની અનુભૂતી થતા અંતે આજે સવારે 9.43 વાગ્યે એક ટ્વિટ કર્યું. જેમાં તેમણે લખ્યું- 'જો મારા નિવેદનથી બંગાળીઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેની માફી માંગુ છું. મેં માછલી વિશે જે નિવેદન આપ્યું હતું તે રોહિંગ્યાઓ અને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અંગે હતો.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.