ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન, NCPએ પાંચ બેઠકો માંગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:59:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકિય પાર્ટીઓ મતદારોને રિઝવવા તથા રાજકીય ગઠબંધનો કરવાના પ્રયાસોમાં લાગી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતા જણાઈ રહી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ ગઠબંધનના કારણે NCPએ એક બેઠક જીતી હતી. કુતિયાણાની બેઠક પરથી કાંધલ જાડેજા જીતવામાં સફળ રહ્યા હતા.


 કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે યોજાઈ બેઠક


વિધાનસભાની ચૂંટણી પહેલા ગઢબંધન અને ચૂટણી રણનિતી નક્કી કરવા કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી ગઘુ શર્મા, તથા NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર વચ્ચે બેઠક યોજાઈ હતી. બંધબારણે યોજાયેલી આ બેઠકમાં NCPના નેતાઓએ રાજ્યમાં 7-8 બેઠકો માંગી હતી જો કે અંતે 5-6 બેઠકો પર સર્વસંમતી બની હતી. 


અશોક ગહેલોત કરશે આખરી નિર્ણય


આજે સાંજે કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જો કે અશોક ગહેલોત બેઠકો અંગે અંતિમ નિર્ણય લેશે. કાલે NCP દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે. જેમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરાશે અને ગઠબંધન અંગેની માહિતી આપવામાં આવશે.


NCP કઈ 5 બેઠકો માગે છે?


કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનઆ બેઠકને લઇને NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ નિવેદન આપતા કહ્યું કે, 'NCPએ 5 સીટ માંગી છે. અશોક ગેહલોત સાથે બેઠક કરીને અમે ગઠબંધનની જાહેરાત કરીશું. NCPએ કુતિયાણાથી કાંધલ જાડેજા માટે ટિકિટ માંગી છે. ગોંડલથી રેશ્મા પટેલ માટે ટિકિટ માંગી છે. ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી માટે ટિકિટ માંગી છે. જ્યારે નરોડાથી કોર્પોરેટર નિકુલસિંહ તોમર માટે ટિકિટની માંગ કરવામાં આવી છે.'



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.