સ્થાનિક નેતૃત્વનું મહત્વ ઘટ્યું: રાજ્યની ચૂંટણીઓમાં રાષ્ટ્રીય નેતાઓ પાર્ટીઓના ચહેરા બન્યા


  • Published By :
  • Published Date : 2022-11-03 17:36:31


દેશના રાજકારણમાં એક મહત્વનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હવે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રિય નેતાઓનું પ્રભુત્વ જણાય છે. ગુજરાત રાજ્ય વિધાન સભા ચૂંટણી પહેલા થયેલા CSDS-Lokniti surveyમાં આ બાબત જાણવા મળી છે. લોકનીતિ  સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (CSDS)એ આ સર્વે કર્યો હતો.


રાજકીય પાર્ટીઓ માટે નેતૃત્વ પરિબળ મહત્વનું


તાજેતરના ભૂતકાળમાં, કેન્દ્રીય અને રાજ્ય સ્તરે પક્ષોની સફળતા નક્કી કરવામાં નેતૃત્વ પરિબળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં નેતૃત્વ પરિબળ કેટલું નિર્ણાયક હોઈ શકે? હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં માત્ર મુખ્ય પ્રધાનને બદલવાની જ નહીં પરંતુ સમગ્ર કેબિનેટમાં મોટા પાયે ફેરફાર કર્યો હતો તે જોતાં, પક્ષ સંગઠન માટે તેના રાષ્ટ્રીય નેતૃત્વની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ જોઈ હતી તે દર્શાવે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) નો ઉદય પણ તેના રાષ્ટ્રીય નેતૃત્વને આભારી છે. 


પાર્ટીથી ઉપર ઉઠેલા નેતાઓ મોદી અને કેજરીવાલ


ભારતના રાજકારણમાં નરેન્દ્ર મોદી, કેજરીવાલ, મમતા બેનર્જી, અને ચંદ્રશેખર રાવ સહિતના નેતાઓ તેમની પાર્ટી કરતા મોટા બની ગયા છે. આ નેતાઓ તેમની  લોકચાહનાના જોરે એકલા હાથે ચૂંટણી જીતાડવા માટે સમર્થ છે. તેમાં પણ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ એવા નેતા બન્યા છે કે તેઓ તેમના રાજ્ય સિવાય પણ અન્ય રાજ્યોમાં લોકપ્રિય બન્યા છે. જેમ કે કેજરીવાલે દિલ્લી અને પંજાબમાં તેમની  લોકપ્રિયતાના જોરે પાર્ટીને જીત અપાવી હતી, હવે તે ગુજરાત જીતવાના પ્રયત્નો કરી રહ્યા છે.


ગુજરાતમાં મોદી અને કેજરીવાલ મુખ્ય ચહેરો


ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલા શરૂ થયેલા પ્રચાર અભિયાનમાં આ દ્રશ્ય સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાજપ અને આપના સ્થાનિક નેતાઓ કરતા મોદી અને કેજરીવાલની રેલીઓમાં વધુ ભીડ ઉમટે છે, લોકો તેમના ભાષણને સાંભળવા ઉત્સુક રહે છે. ગુજરાત ભાજપના નેતાઓ જેવા સીએમ ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી તથા આપના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા ભીડ એકઠી કરવામાં ઉણા ઉતરી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારની કમાન ભાજપમાં મોદી અને આપમાં કેજરીવાલ પાસે છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.