182 સભ્યોની 15મી વિધાનસભામાં એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા


  • Published By :
  • Published Date : 2022-12-11 12:42:42

ગુજરાત વિધાનલભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ અનેક જાતિઓનું પ્રતિનિધિત્વ ઘટી ગયું છે. તેમાં પણ લધુમતિ સમુદાયનું પ્રતિનિધિત્વ ઘટીને માત્ર એક સીટનું રહી ગયું છે. 15મી વિધાનસભા માટે 230 મુસ્લિમ ઉમેદવારૌ 73 બેઠકો માટે ચૂંટણી લડી રહ્યા હતા પણ તેમાં માત્ર એક જ જમાલપુર-ખાડીયાથી એક ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા છે.


કોંગ્રેસે આપી હતી સૌથી વધુ ટિકિટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે સૌથી વધુ 6 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જો કે સામે  મુસ્લિમ પાર્ટી મનાતી  AIMIMએ પણ લઘુમતી બહુમતી ધરાવતી સીટો પર મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખતા મુસ્લિમોના મત વહેંચાઈ ગયા હતા. જેના કારણે અમદાવાદની એક સીટ જમાલપુર-ખાડીયાથી ઈમરાન ખેડાવાલાનો વિજય થયો હતો. જ્યારે દરિયાપુર સીટ પરથી ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરથી મોહમ્મદ પીરઝાદાનો હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.


ઈમરાન ખેડાવાલાની શા માટે જીત્યા


જમાલપુર-ખાડિયા સીટ મુસ્લિમોની બહુમતી ધરાવે છે, આ સીટ પર 61 ટકા મુસ્લિમ મતદારો છે. ઈમરાન ખેડાવાલાની  તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ભૂષણ ભટ્ટ સામે 13,658 મતથી જીત થઈ છે. જ્યારે AIMIMના સાબિર કાબલીવાલાને માત્ર 15,655 મત મળ્યા હતા. ઈમરાન ખેડાવાલા છીપા સમુદાયમાંથી આવતા હોવાથી તેમને મોટા પ્રમાણમાં આ સમુદાયનું સમર્થન પ્રાપ્ત છે. જમાલપુર-ખાડિયામાં 30,000થી વધુ  છીપા સમુદાયના મતદારો છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે