182 સભ્યોની 15મી વિધાનસભામાં એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા


  • Published By :
  • Published Date : 2022-12-11 12:42:42

ગુજરાત વિધાનલભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ અનેક જાતિઓનું પ્રતિનિધિત્વ ઘટી ગયું છે. તેમાં પણ લધુમતિ સમુદાયનું પ્રતિનિધિત્વ ઘટીને માત્ર એક સીટનું રહી ગયું છે. 15મી વિધાનસભા માટે 230 મુસ્લિમ ઉમેદવારૌ 73 બેઠકો માટે ચૂંટણી લડી રહ્યા હતા પણ તેમાં માત્ર એક જ જમાલપુર-ખાડીયાથી એક ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા છે.


કોંગ્રેસે આપી હતી સૌથી વધુ ટિકિટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે સૌથી વધુ 6 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જો કે સામે  મુસ્લિમ પાર્ટી મનાતી  AIMIMએ પણ લઘુમતી બહુમતી ધરાવતી સીટો પર મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખતા મુસ્લિમોના મત વહેંચાઈ ગયા હતા. જેના કારણે અમદાવાદની એક સીટ જમાલપુર-ખાડીયાથી ઈમરાન ખેડાવાલાનો વિજય થયો હતો. જ્યારે દરિયાપુર સીટ પરથી ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરથી મોહમ્મદ પીરઝાદાનો હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.


ઈમરાન ખેડાવાલાની શા માટે જીત્યા


જમાલપુર-ખાડિયા સીટ મુસ્લિમોની બહુમતી ધરાવે છે, આ સીટ પર 61 ટકા મુસ્લિમ મતદારો છે. ઈમરાન ખેડાવાલાની  તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ભૂષણ ભટ્ટ સામે 13,658 મતથી જીત થઈ છે. જ્યારે AIMIMના સાબિર કાબલીવાલાને માત્ર 15,655 મત મળ્યા હતા. ઈમરાન ખેડાવાલા છીપા સમુદાયમાંથી આવતા હોવાથી તેમને મોટા પ્રમાણમાં આ સમુદાયનું સમર્થન પ્રાપ્ત છે. જમાલપુર-ખાડિયામાં 30,000થી વધુ  છીપા સમુદાયના મતદારો છે. 




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.