વિધાનસભા ચૂંટણી 2022માં તમામ પક્ષોના મળી કુલ 11 મુસ્લિમ ઉમેદવારો મેદાને


  • Published By :
  • Published Date : 2022-11-17 16:53:20

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ સમયે એક જાગ્રૃત નાગરિક તરીકે વિચાર થાય કે આ વખતની ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપે કોઈ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા નથી. અત્યાર સુધીમાં મુસ્લિમોને સૌથી વધુ ટિકિટ કોંગ્રેસે આપી છે અને આ 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ જ સૌથી વધુ 6 જ્યારે આમ આદમી પાર્ટીએ 2 મુસ્લિમ ઉમેદાવારો મેદાનમાં ઉતાર્યા છે. મુસલમાનોની પાર્ટી તરીકે જાણીતી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMએ પણ ગુજરાતમાં બે મુસ્લિમોને ઉમેદવાર બનાવ્યા છે.


ઉમેદવાર-વિધાનસભા સીટ-પાર્ટી


1 –મામદભાઈ જંગ જાટ-અબડાસા- કોંગ્રેસ
2 –મોહમ્મદ જાવેદ પીરઝાદા- વાંકાનેર- કોંગ્રેસ
3 –સુલેનન પટેલ-વાગરા-કોંગ્રેસ
4 –અસલમ સાઈકલવાલા-સુરતપૂર્વ-કોંગ્રેસ
5 –ગ્યાસુદ્દીન શેખ-દરિયાપુર-કોંગ્રેસ
6 –ઈમરાન ખેડાવાલા- જમાલપુરખાડિયા-કોંગ્રેસ
7 –તાજ કુરેશી - દરિયાપુર–AAP
8 –હારુન નાગોરી – જમાલપુરખાડિયા –AAP
9 –સાજીદ રેહાન - જંબુસર– AAP
10 –અબ્બાસભાઈ નોડસોલા  –સિદ્ધપુર –AIMIM
11 –જૈન બીબી શેખ  –વેજલપુર –AIMIM


ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી કેટલી છે?


રાજ્યમાં 9 ટકા મુસ્લિમોની વસ્તી છે. જો કે તે મુખ્યત્વે રાજ્યના વિવિધ ભાગોમાં હોવાથી બહુમતી જમાલપુર ખાડિયા, ભરૂચના વાગરામાં જ છે. એક સામાન્ય ચૂંટણી ગણિત પ્રમાણે રાજ્યની લગભગ 25 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો માતબર સંખ્યામાં છે. જો કે તેમ છતાં તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. 


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.