લ્યો બોલો, ગુજરાતમાં ચૂંટણી ટાણે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી રજા, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-22 18:05:44

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનમાં હવે થોડા દિવસે બાકી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં શિંદે સરકારે ગુજરાતના મતદારોને એક દિવસની પેઈડ રજા મંજૂર કરી છે.


મહારાષ્ટ્ર સરકાર શા માટે રજા આપી?


ગુજરાતમાં ચૂંટણી છે તો મહારાષ્ટ્ર સરકારે શા માટે રજા આપી તેવો સવાલ થાય તે સ્વાભાવિક છે. મહારાષ્ટ્ર સરકારના એક અધિકારીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે એક દિવસની પેઇડ રજાની મંજૂરી આપતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગુજરાતના મતદારો, કે જેઓ અહીં મહારાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે, તેઓ પડોશી રાજ્યમાં આગામી ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એક દિવસની પેઇડ રજાનો લાભ લઈ શકે છે. 


મહારાષ્ટ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું


મહારાષ્ટ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડી ગુજરાતી મતદારોને મોટી રાહત આપી છે. આ નોટિફિકેશનના આધારે નાસિક, પાલઘર, ધુલે અને નંદુરબાર જેવા સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને આ છૂટ આપવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કામ કરી રહ્યા હોવાથી મહારાષ્ટ્ર સરકારે લોકતંત્ર માટેના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં કોઈપણ નાગરિક મતાધિકારનો ઉપયોગ કર્યા વિના બાકી ના રહી જાય તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.