લોકગાયક કિર્તીદાન ગઢવીને મતદાન કરતા કેમ રોકવામાં આવ્યા? જાણો


  • Published By :
  • Published Date : 2022-12-01 15:16:25

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે. જો કે કેટલાક મતદાતાઓ એવા પણ છે જે તેમનું ઓળખ કાર્ડ વગર જ મતદાન કરવા પહોંચી જતા તેમને મતદાન કરતા રોકવામાં આવ્યા હતા. જેમ કે જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવી આજે મતદાન કરવા રાજકોટ ગયા હતા પણ તેમની પાસે કોઈ પણ પ્રકારનો ઓખળનો પુરાવો ન હોવાથી તેમને મતદાન કરવા દેવામાં આવ્યું હતું.


સમગ્ર ઘટના શું બની હતી?


મત જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને લોક ગાયક કીર્તીદાન ગઢવીને રાજકોટમાં મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. કારણ કે કીર્તીદાન ગઢવી પાસે આધારકાર્ડ કે વોટર કાર્ડની હાર્ડ કોપી ન હતી. મતદાન પથક પર ફરજ બજાવતા અધિકારીએ તેમનું આઈડી પ્રૂફ માંગતા આધારકાર્ડની હાર્ડ કોપી ન હોઇ તેમણે મત આપતા અટકાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં કીર્તીદાન ગઢવીએ કલેકટરને રજૂઆત કરતા તેઓ મતદાન કરી શક્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.