ચૂંટણીના પડઘમ: ભાજપે શરૂ કરી ગૌરવ યાત્રા, રાષ્ટ્રિય પ્રમુખ જેપી નડ્ડાએ લીલી ઝંડી બતાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 11:39:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના નેતાઓએ કમર કસી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાટાંની ટક્કર જોવા મળશે. ભાજપના નેતાઓ પણ આ વાસ્તવિક્તાથી સારી રીતે વાકેફ હોવાથી કોઈ જોખમ લેવા માંગતા  નથી. ભાજપ તેની જુની સ્ટ્રેટેજીનો અમલ કરતા ગૌરવ યાત્રા કાઢશે. પ્રથમ યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બહુચરાજીમાં બહુચરમાતાનું મંદિર છે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડાએ આજે આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવી.


ભાજપના કયા નેતાઓ જોડાશે યાત્રામાં


પાર્ટીના એક નેતાએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આમાંથી કેટલીક ગૌરવ યાત્રાને ફ્લેગ ઓફ કરી શકે છે, જ્યારે કેન્દ્રીય પ્રધાનો અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને અન્ય ઘણા કેન્દ્રીય પ્રધાનો આ ગૌરવ યાત્રામાં જોડાશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ગૌરવ યાત્રામાં હાજરી આપે તેવી શક્યતા છે.


ગુજરાતના કયા વિસ્તારમાં ફરશે યાત્રા


પાર્ટીના સત્તાવાર નિવેદન અનુસાર, પ્રથમ યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડા આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લાના ફાગવેલ સુધી જશે. પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી જશે.


ભાજપના આ ગૌરવ યાત્રા દરમિયાન 5,000 કિમીથી વધુનું અંતર કાપવાની યોજના ધરાવે છે. આ યાત્રા જે વિસ્તારોમાંથી પસાર થશે તેમાંથી મોટાભાગના વિસ્તારોમાં આદિવાસી પ્રભુત્વ છે. આદિવાસી બહુલ વિસ્તારની બેઠકો પર કોંગ્રેસનો ખાસ્સો પ્રભાવ માનવામાં આવે છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.