ચૂંટણીના પડઘમ: ભાજપે શરૂ કરી ગૌરવ યાત્રા, રાષ્ટ્રિય પ્રમુખ જેપી નડ્ડાએ લીલી ઝંડી બતાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 11:39:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના નેતાઓએ કમર કસી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાટાંની ટક્કર જોવા મળશે. ભાજપના નેતાઓ પણ આ વાસ્તવિક્તાથી સારી રીતે વાકેફ હોવાથી કોઈ જોખમ લેવા માંગતા  નથી. ભાજપ તેની જુની સ્ટ્રેટેજીનો અમલ કરતા ગૌરવ યાત્રા કાઢશે. પ્રથમ યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બહુચરાજીમાં બહુચરમાતાનું મંદિર છે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડાએ આજે આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવી.


ભાજપના કયા નેતાઓ જોડાશે યાત્રામાં


પાર્ટીના એક નેતાએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આમાંથી કેટલીક ગૌરવ યાત્રાને ફ્લેગ ઓફ કરી શકે છે, જ્યારે કેન્દ્રીય પ્રધાનો અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને અન્ય ઘણા કેન્દ્રીય પ્રધાનો આ ગૌરવ યાત્રામાં જોડાશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ ગૌરવ યાત્રામાં હાજરી આપે તેવી શક્યતા છે.


ગુજરાતના કયા વિસ્તારમાં ફરશે યાત્રા


પાર્ટીના સત્તાવાર નિવેદન અનુસાર, પ્રથમ યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર જવા રવાના થશે. નડ્ડા આ બંને યાત્રાઓને લીલી ઝંડી બતાવશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના ઝાંઝરકાથી સોમનાથ સુધી જશે, જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લાના ફાગવેલ સુધી જશે. પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી જશે.


ભાજપના આ ગૌરવ યાત્રા દરમિયાન 5,000 કિમીથી વધુનું અંતર કાપવાની યોજના ધરાવે છે. આ યાત્રા જે વિસ્તારોમાંથી પસાર થશે તેમાંથી મોટાભાગના વિસ્તારોમાં આદિવાસી પ્રભુત્વ છે. આદિવાસી બહુલ વિસ્તારની બેઠકો પર કોંગ્રેસનો ખાસ્સો પ્રભાવ માનવામાં આવે છે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.