ઘટતા મતદાને ચિંતા વધારી, શહેરી મતદારો આટલા ઉદાસીન શા માટે? જાણો


  • Published By :
  • Published Date : 2022-12-04 17:50:33

રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ એક બાબતથી ખુબ ચિંતિત છે કે ગુજરાત હોય કે હિમાચલ પણ દેશના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટી રહ્યું છે. લોકોને જાણે મતદાનમાં રસ જ રહ્યો નથી. રાજકીય પક્ષો અને તેના નેતાઓ પ્રત્યે એક પ્રકારની ઘૃણા લોકોમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં શહેરી ઉદાસીનતા હિમાચલ પ્રદેશમાં જોવા મળેલા વલણની યાદ અપાવે છે, હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થયું હતું. તેના શહેરી શિમલા વિધાનસભા મતવિસ્તારમાં રાજ્યની સરેરાશ 75.6%ની સરખામણીમાં સૌથી ઓછું 62.5% મતદાન નોંધાયું છે.


ગુજરાતના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટ્યું


1 ડિસેમ્બરે ગુજરાતના શહેરી 26 મતવિસ્તારોની યાદીમાં એક પણ શહેરી વિધાનસભા મતવિસ્તારનો આંકડો નથી કે જ્યાં 63.3% થી વધુ મતદાન નોંધાયું હોય. જેમ  કે સુરત, રાજકોટ અને જામનગર - ગુજરાતના તમામ શહેરોમાં રાજ્યની સરેરાશ 63.3% કરતાં ઓછી મતદાન ટકાવારી નોંધાઈ છે. દસ જિલ્લાઓમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે અન્ય છ જિલ્લામાં 60 ટકાથી ઓછું મતદાન થયું હતું. ચૂંટણી પંચે પણ ગ્રામીણ અને શહેરી મતદાનમાં તફાવતને પણ પ્રકાશિત કર્યો છે. જેમ કે “ગ્રામીણ અને શહેરી મતવિસ્તારો વચ્ચે મતદાનના મતદાનમાં સ્પષ્ટ તફાવત છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ગ્રામીણ મતવિસ્તારમાં સરખામણી કરીએ તો મતદાર મતદાનનું અંતર 34.85% જેટલું પહોળું છે,જેમ કે ડેડિયાપાડામાં 82.71% નોંધાયું તો કચ્છ જિલ્લાના શહેરી ગાંધીધામમાં 47.86% મતદાન થયું હતું. તેનો મતલબ એ કે શહેરી વિસ્તારોમાં સરેરાશ મતદાન ગ્રામીણ મતવિસ્તારના મતદાન કરતાં ઓછું થયું છે.”


શહેરી બેઠકો પર કેટલું ઘટ્યું મતદાન?


વિધાનસભા સીટ   2017નું મતદાન      2022નું મતદાન


ગાંધીધામ                54.20 ટકા              47.86 ટકા


રાજકોટ પૂર્વ             66.98                        62.20

 

રાજકોટ પશ્ચિમ        67.68                         57.12


રાજકોટ દક્ષિણ       64.28                          58.99


જામનગર દક્ષિણ     63.96                          57.27


જામનગર ઉત્તર        64.61                          57.82

 

જૂનાગઢ                 59.53                         55.82


સુરત ઉત્તર             63.96                         59.24


વરાછા રોડ           62.95                         56.38


કરંજ                    55.91                         50.54


લિંબાયત              65.51                        58.53


ઉધના                  60.66                        54.87


મજુરા                  61.96                        58.07


સુરત પશ્ચિમ         67.37                        62.92


ચોર્યાસી               61.10                       56.86



શા માટે ઘટી રહ્યું છે મતદાન


દેશના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટવાનું કારણ લોકોમાં રાજકારણીઓ પ્રત્યેની નફરતને માનવામાં આવે છે. મતદારો તમામ પાર્ટીઓના નેતાઓથી નિરાશ છે, તેમની મુળભુત જરૂરીયાતો સંતોષાતી નથી, તે ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ સહિતના સળગતા સવાલોનું  કોઈ સમાધાન જોવા ન મળતા આજનો મતદાર ઘોર નિરાશ છે જેના કારણે તે મતદાન કરવાનું ટાળી રહ્યો છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.