ગાંધીનગર દક્ષિણ, રાધનપુર..,, ક્યાં ક્યાંથી લડવા માગે છે અલ્પેશ ઠાકોર?


  • Published By :
  • Published Date : 2022-11-09 16:46:40

ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર કઈ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે હજું અસ્પષ્ટતા પ્રવર્તે છે, અલ્પેશ રાધનપુર કે ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી શકે છે. જો કે રાધનપુર અને ગાંધીનગર દક્ષિણ બેઠકને લઈ સ્થાનિક નેતાની માગણી બુલંદ બની છે. ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં તો સ્થાનિકો આયાતી ઉમૈદવારનો વિરોધ કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોરના વિરોધમાં અનેક સ્થાનોએ હોર્ડિગ્સ લાગેલા જોવા મળ્યા હતા.


અલ્પેશ ઠાકોર કઈ સીટ પરથી મેદાનમાં ઉતરશે?


ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા શરૂ થઈ ત્યારથી જ અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે, એવામાં જો અલ્પેશ પોતાની સીટ બદલીને ગાંધીનગર આવે તો ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ ગણી શકાય. નોંધનીય છે કે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ટિકિટ માંગી શકે તેવી ચર્ચાઓ પહેલેથી જ હતી, રાધનપુર એ જ બેઠક છે જેના પર અગાઉ પેટા ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો રાધનપુરમાં પણ અલ્પેશ ઠાકોર સામે વિરોધ છે. પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમનો વિરોધ કરી રહ્યા છે. લવિંગજીએ તો સમીમાં ઠાકોર સમેલન યોજી શક્તિપ્રદર્શન પણ કર્યું હતું. 


ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં અલ્પેશ સામે લાગ્યા બેનર


આજે ગાંધીગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં અલ્પેશ ઠાકોર સામે ઠેર-ઠેર હોર્ડિગ લાગ્યા છે. જેમાં તેમને આયાતી ઉમેદવાર ગણાવી આ સીટ પરથી ચૂંટણી ન લડવા કહેવામાં આવ્યું છે. અને જો તે લડશે તો તેમણે લીલા તોરણે પાછા જવું પડશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.