પ્રથમ તબક્કામાં ઓછા મતદાને ચિંતા વધારી છે ત્યારે CR પાટીલે આપ્યું આ નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-03 21:42:10


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન તો પૂર્ણ થઈ ગયું પણ ઓછા મતદાને ચિંતા વધારી છે. રાજકીય પક્ષોના નેતાઓ અને ચૂંટણી વિષ્લેષકો પણ ઓછા મતદાનથી કોને લાભ અને નુકસાન થશે તે અંગે વિષ્લેષણ કરવા લાગ્યા છે. જો કે આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવેદને ખાસ્સી ચર્ચા જગાવી છે.


સી આર પાટીલે શું કહ્યું?


પ્રથમ તબક્કામાં થયેવા મતદાન અંગે પાટીલે કહ્યું કે પહેલા તબક્કામાં જે કુલ મતદાન થયું તે 1 કરોડ 51 લાખ મતદાન નોંધાયું છે. 2017માં પણ આ જ 89 બેઠકો પર 1 કરોડ 41 લાખ મતદાન નોંધાયું હતું. જેથી 10 લાખ મત વધુ પડ્યા છે પરંતુ ટકાવારી પ્રમાણે ભલે ઓછું દેખાય છે. નવા મતદારો જોડાયા છે. તેથી મતદાન ઓછું દેખાયું છે. પેજ સમિતિઓ અંગે પાટીલે કહ્યું કે  તેમણે સારી કામગીરી કરી છે અને તેમનું કામ છે ભાજપ તરફેણમાં વધુ મતદાન કરાવવાનું જે તેમણે સારી રીતે પાર પાડ્યું છે. 


બળવાખોરોને ચીમકી


બળવાખોરોને આડે હાથ લેતા પાટીલે કહ્યું કે, અમે અને અમારી પાર્ટી શિસ્તની બાબતમાં ચલાવી લે તેમ નથી એટલે સામે ગયેલા કોઈ પણને ફરીથી ભાજપમાં લઈશું નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિરોધમાં ગયા અને જીત્યા તો પણ પક્ષમાં નથી લીધા અને આ લોકોનું અશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. તેમણે બળવાખોર નેતાઓને લઈ જણાવ્યું કે, તેવા લોકો પર તાત્કાલિક પગલા લીધા છે અને જે લોકો જીતશે તો પણ પરત લઇશું નહીં તેમણે કહ્યું કે, 4થી 5 લોકોએ ઉમેદવારી કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.