ગુજરાત કોંગ્રેસ 8 નવેમ્બરે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરશે: અશોક ગેહલોત


  • Published By :
  • Published Date : 2022-10-30 16:00:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગેસના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસાના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બનાસકાંઠાના અમીરગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અશોક ગેહલોતે આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ એક પ્રેસ કોંન્ફ્રન્સને સંબોધી હતી.  



કોંગ્રેસ 8 તારીખે કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરશે


અમીરગઢમાં અશોક ગહેલોતે કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોને લઈ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાત વિધાન સભા ચૂંટણીનો મેનિફેસ્ટો 8 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. અશોક ગેહલોતે જણાવ્યું કે જો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસ 500 રૂપિયામાં ગેસનો બાટલો આપશે અને  તમામ લોકોનો ઈલાજ ફ્રી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અશોક ગેહલોતની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા. રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓની જેમ ગુજરાતનાં સરકારી કર્મચારીઓને પણ જુની પેન્સન યોજનાનો લાભ આપવામાં આવશે તેવું વચન આપ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.