ગુજરાત કોંગ્રેસ 8 નવેમ્બરે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરશે: અશોક ગેહલોત


  • Published By :
  • Published Date : 2022-10-30 16:00:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગેસના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસાના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બનાસકાંઠાના અમીરગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અશોક ગેહલોતે આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ એક પ્રેસ કોંન્ફ્રન્સને સંબોધી હતી.  



કોંગ્રેસ 8 તારીખે કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરશે


અમીરગઢમાં અશોક ગહેલોતે કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોને લઈ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાત વિધાન સભા ચૂંટણીનો મેનિફેસ્ટો 8 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. અશોક ગેહલોતે જણાવ્યું કે જો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસ 500 રૂપિયામાં ગેસનો બાટલો આપશે અને  તમામ લોકોનો ઈલાજ ફ્રી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અશોક ગેહલોતની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા. રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓની જેમ ગુજરાતનાં સરકારી કર્મચારીઓને પણ જુની પેન્સન યોજનાનો લાભ આપવામાં આવશે તેવું વચન આપ્યું હતું.



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .