Gujarat Assembly Election 2022: કોંગ્રેસનું ભાજપ સરકાર પર તહોમતનામું, મોરબી દુર્ઘટના, લઠ્ઠાકાંડ, કોવિડ મૃત્યઆંક મુદ્દે કર્યા પ્રહારો


  • Published By :
  • Published Date : 2022-11-06 14:32:59


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો શરૂ થઈ ગયો છે. આજે કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને  ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. ભરતસિંહે ભાજપ સામે આરોપનામું રજુ કરતા સવાલોનો મારો ચલાવ્યો હતો. તેમણે ભાજપ પર લોકોને ગરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.


ભરત સિંહ સોલંકીએ શું કહ્યું?


ભરતસિંહે ભાજપ સામે કૉંગ્રેસ વિવિધ મુદ્દાઓનું આરોપનામું રજૂ કર્યું  હતું. મિશન 2022ના પ્રચારના ભાગરૂપે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રજા સમક્ષ ભાજપ સામેનું આરોપનામું રજૂ કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ કહ્યું જ્યારે એક એન્જિન બંધ પડે છે ત્યારે બીજું એન્જિન લગાડવાની જરૂર પડે છે ભાજપનું ગુજરાત એન્જિન ફેલ ગયું છે. ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ સરકાર સામેનું આરોપનામું અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ. તેમણે પ્રજાના આશીર્વાદથી રાજ્યમાં કૉંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. મોરબી દુર્ઘટના, કથિત લઠ્ઠાકાંડ, કોવિડ મિસ મેનેજમેન્ટ, શિક્ષણ, બેરોજગારી સહિતના મુદ્દાઓનો આરોપનામામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ ચૂંટણીમાં તમામ પ્રકારના હથકંડા અજમાવશે પરંતુ અમે લોકોના મુદ્દાની વાત કરીએ છીએ.  


ભાજપ સરકાર પર કોંગ્રેસનું તહોમતનામું


1-કૉંગ્રેસના શાસનમાં જીડીપી 18થી 23 ટકા હતો. કૉંગ્રેસના શાસનમાં ઉદ્યોગોમાં પણ ગુજરાત આગળ હતું.

2-આરોગ્ય, શિક્ષણમાં કૉંગ્રેસના શાસનમાં ગુજરાત આગળ હતુ. 

3- વર્ષ 2020-21માં ગુજરાતે 1.35 ટકાનો નકારાત્મક વૃધ્ધી દર નોંધાવ્યો હતો

4-ગુજરાતમાં આજે પણ 31.5 લાખ કરતા વધુ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે

5-મોંઘવારીએ લોકોની હાડમારી વધારી પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને વટાવી ગયો, સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારતા આ સ્થિતી સર્જાઈ છે.

8- છેલ્લા એક વર્ષમાં ફળો અને શાકબાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજારને પાર થઈ ગયો.

9-એલપીજી સબસિડી નાબૂદ કરાઈ તેથી ગેસ સિલિન્ડરનો ભાવ 1060 રૂપિયાએ પહોંચ્યો છે.

10-વીજળીના દરમાં બેફામ વધારો થયો , સરકારે સરચાર્જ વઘારતા આ સ્થિતી સર્જાઈ છે.   

11- પ્લેટફોર્મનો ચાર્જ પ રૂપિયાથી વધીને આજે 50 રૂપિયાએ પહોંચ્યો છે.

12- માર્ચ 2022નાં અંત સુધીમાં ગુજરાત રાજ્યનું દેવું 4,00,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. 

13- છેલ્લા 15 વર્ષમાં રાજ્યના દેવાની રકમ ત્રણ ગણી વધી છે.

14- ગુજરાતની 6.4 કરોડની વસ્તી પ્રમાણે માથાદીઠ 63,000 હજારનું જંગી દેવું 

15-કેગની ચેતવણી છે કે સરકાર આડેધડ કરજ લઈ રહી છે, રાજ્ય જંગી કરજની જાળમાં ફસાઈ જશે

16- કેગના રિપોર્ટ પ્રમાણે દેવામાં 11.49 ટકાનો વધારો થયો.

17-રાજ્યમાં 3.64 લાખ નોંધાયેલા  શિક્ષિત બેકારો છે. 

18- સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી પ્રમાણે રાજ્યમાં બેરોજગારી દર 12.19 છે.

19- રાજ્યના વિવિધ વિભાગોમાં સરકારે પ્રતિ 1 હજાર અરજીઓ સામે માત્ર ત્રણ લોકોને નોકરી આપી છે.

20- સરકાર  વિવિધ સરકારી પરીક્ષાઓ કરાવવામાં નિષ્ફળ રહી છે. 

21- ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનની ફાળવણી કરી છે. અદાણી જુથને ભાજપ સરકારે પ્રતિ ચો.મીના માત્ર 1 રૂપિયો અને રૂ. 32ના ભાવે જમીનની લ્હાણી કરી છે.


22- ભાજપે તેના નજીકના ટોચના ઉદ્યોગપતિઓની લોન માંડવાણ  કરી. 

23- રાજ્યમાં ભાજપના સરકાર દરમિયાન ભ્ર્ષ્ટાચાર વધ્યો પણ લાંચ-રૂશ્વત વિરોધી બ્યૂરો કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યો.

24-વર્ષ 2021-22માં મોટા પ્રોજેક્ટ સ્થાપવાનો દર ઘટીને 11.9 ટકા થઈ ગયો હતો.

25-કોરોના કાળમાં રાજ્યમાં વાયરસથી થયેલા મૃત્યુંનો સાચો આંકડો છુપાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકારે 61 હજાર કરતા પણ વધુ મોત છુપાવ્યા હતા.રાજ્યની ભાજપ સરકારે મૃત્યુ પામેલા લોકોને પુરતું વળતર આપવાનો પણ ઈન્કાર કર્યો હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!