કરો યા મરો! કાલે બીજા તબક્કાનું મતદાન, 93 બેઠકોના 833 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2022-12-04 21:30:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આવતીકાલે મતદાન થશે. રાજ્યના 2.51 કરોડ મતદારો 93 બેઠકો માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. રાજ્યના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લોકો મતદાનને લઈ નિરાશ જોવા મળ્યા હતા. જેના કારણે જ મતદાનની સરેરાશ ટકાવારી માત્ર 60 ટકા જ નોંધાઈ હતી. આ વખતે ત્રિપાંખિયો જંગ હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની રાજકીય કારકિર્દી દાવ પર લાગી છે. રાજકીય પાર્ટીઓ માટે કરો યા મરો માટે જેવી સ્થિતી સર્જાઈ છે.


બીજા તબક્કામાં ખરાખરીનો જંગ


રાજ્યમાં બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકોના 14 જિલ્લાઓ પર મતદાન થવાનું છે. બીજા તબક્કાની સીટો પર એક નજર કરીએ તો 74  જનરલ બેઠકો છે જ્યારે અનુસુચિત જાતિની 6 અને અનુસુચિત જનજાતિની 13 બેઠકો મળી 93 બેઠકો થાય છે. આ 93 બેઠકો પર 61 રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે. 93 સીટો પર રાજકીય પાર્ટીઓ, અપક્ષો સહિત કુલ 833 ઉમેદવારો મેદાને છે. જે 833 પૈકીના 764 ઉમેદવારો પુરુષ છે જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 69 છે. આ બેઠકો પૈકી સૌથી વધુ ઉમેદવારો બાપુનગર બેઠક પર છે જ્યાં કુલ 29 ઉમેદવારો વચ્ચે જંગ છે. બીજી બાજુ સૌથી ઓછા ઉમેદવારો ઈડર બેઠક પર છે જ્યાં માત્ર 3 ઉમેદવારો વચ્ચે જંગ છે. જો કે આ વખતે ભાજપના બળવાખોરો પાર્ટી માટે મોટો પડકાર બની રહેશે.


બીજા તબક્કામાં કેટલા મતદારો?


ગુજરાતની બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 2,51,58,730 મતદારો છે. જે પૈકીના 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. તેમાંથી સાવ નાની વયના મતલબ કે 18થી 19 વર્ષની ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 5,96,323 છે. જ્યારે 99 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વડીલ મતદારોની સંખ્યા 5412 છે. સેવા મતદારોની કુલ સંખ્યા 18271 છે, જ્યારે NRI મતદારોની સંખ્યા કુલ 660 છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.