વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતી આ બેઠકો પર છે સૌથી વધુ મદાર


  • Published By :
  • Published Date : 2022-11-22 19:20:30

ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર જોરશોરથી જામ્યો છે. રાજ્યમાં સર્વત્ર ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓ સમગ્ર ગુજરાતમાં લોકોને રિઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન એ જાણવું રસપ્રદ બની રહે છે કે રાજ્યમાં ભાજપ કેટલી સીટો પર મજબુત છે. રાજ્યના ચૂંટણી પંડિતોના મતે  25 એવી સીટ છે કે જે ભાજપ માટે સુરક્ષિત છે. તો આ રાજ્યની આ 25 સીટ કઈ છે જે ભાજપનો મજબુત ગઢ મનાય છે.


આ છે ભાજપની ભરોસાની સીટો 


ઘાટલોડિયા-ભૂપેન્દ્ર પટેલ, જસદણ-કુંવરજી બાવળિયા, અબડાસા-પ્રદ્યુમનસિંહ જાડેજા, વિજાપુર-રમણ પટેલ, જામનગરનોર્થ -રાઘવજી પટેલ, દ્વારકા-પબુભા માણેક,માણવદર-જવાહર ચાવડા,  રાજુલા-હીરા સોલંકી, ભાવનગર ગ્રામ્ય-પરસોત્તમ સોલંકી, મજુરા-હર્ષ સંઘવી,  માંજલપુર-યોગેશ પટેલ, ઇડર-રમણલાલ વોરા, ગોંડલ-ગીતાબા જાડેજા, ડભોઈ-શૈલેષ મહેતા, વિસનગર-ઋષિકેશ પટેલ, નડિયાદ-પંકજ દેસાઈ, ખેડબ્રહ્મા-અશ્વિન કોટવાલ,ગાંધીનગર દક્ષિણના-અલ્પેશ ઠાકોર, કપરાડા-જિતુ ચૌધરીની જીત પાક્કી મનાય છે.


પાતળા માર્જીનથી હાર-જીત 


ગુજરાતમાં છેલ્લા ચાર દાયકાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો મુકાબલો રહે તો હતો. જો કે હવે પરિસ્થિતી બદલાઈ ગઈ છે, અને આ વખતે ત્રિપાંખિયો જંગ છે. કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને છે. આપને પણ મજબુત ત્રીજા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હારજીતમાં આપ નિર્ણાયક ફેક્ટર બની રહે છે. જો કોઈ ઉમેદવાર જીતશે તો પણ હાર-જીતનું માર્જીન બહુ જ ઓછું હશે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.