મોરબીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા, કાર્યાલય પર દાવેદારો અને સમર્થકોના ટોળા ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2022-10-28 20:25:29


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ભાજપના નિરિક્ષકો તમામ 182 બેઠકો  પર સેન્સ લઈ રહ્યા છે. જો કે આ સેન્સ પ્રક્રિયાના કારણે ભાજપની મુશ્કેલી વધી છે. સેન્સ પ્રક્રિયાના કારણે ભાજપનો આતરિક કલહ સપાટી પર આવ્યો છે. ભાજપની આ સેન્સ પ્રક્રિયા ખરેખર તો નોનસેન્સ સાબિત થઈ રહી છે.

મોરબીની માળીયા વિધાનસભા બેઠકને લઈ આંતરકલહ


આજે મોરબીની માળીયા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથમાં લેવાઈ છે ત્યારે કાર્યાલય પર દાવેદારો અને તેમના સમર્થકોના ટોળે ટોળા ધસી આવ્યા હતા. અહીં હાલની સ્થિતિએ માળીયા બેઠક ઉપર 15 ભાજપ અગ્રણીઓએ દાવેદારી નોંધાવી છે. 


ભાજપના આ 15 ટિકિટવાંચ્છુંઓ કોણ છે?


મોરબીમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપમાંથી કોને ટિકિટ આપવી તે માટે ઉમેદવારોની શોધ શરૂ કરવામાં આવશે. મોરબીની માળીયા બેઠક માટે મૂરતિયાઓ તેમના સમર્થકો સાથે કાર્યાલય પર પહોંચી ગયા હતા. ટેકેદારોની હાજરી ટોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી. અહીં ટિકિટ માટે દાવેદારી નોંધાવનારાઓમાં મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક અગ્રણી મુકેશ કુંડારિયા, મુકેશ ઉધરેજા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજી ગડારા, જિજ્ઞેશ કૈલા સહિત 15 દાવેદારોનો સમાવેશ થાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.