કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેંકવાનો પ્રયત્ન, યુવકની અટકાયત કરાઈ


  • Published By :
  • Published Date : 2022-11-06 17:06:04


ગુજરાત વિધાન સભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. પાર્ટી નેતાઓના આરોપ-પ્રત્યારોપના કારણે રાજકારણ ગરમાયું છે. આજે કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી પર કાળા રંગનું લિક્વીડ નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આ કૃત્ય કરનાર યુવકની અટકાયત કરી લીધી છે. 


ભરતસિંહ સોલંકી પર કોણે શાહી ફેંકી?


ગુજરાત કોંગ્રેસનાં અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે બપોરના સમયે શાહી ફેંકવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ભરતસિંહ સોલંકી ગુજરાત સરકાર સામે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરી રહ્યા હતા. એલિસબ્રિજ વિધાનસભાની ટિકિટ માટે દાવેદારી કરનારા રશ્મિકાંત સુથારના પુત્ર રોમીલ સુથારે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો,  આ ઘટના બાદ તેની અટકાયત કરવામાં આવી હતી.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.