ભાજપ હવે 'ભગવાન' ભરોસે!, ભગા ભારડે કોંગ્રેસને બાય બાય કર્યું, કેસરીયો ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-09 14:13:02

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. કોંગ્રેસ,ભાજપ અને આપના નેતાઓ તેમની રાજકીય વિધાનસભાની ટિકિટ, હોદ્દો, અને પૈસા સહિતની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. જો કે આ રાજરમતમાં સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. કોંગ્રેસનાં અન્ય એક અગ્રણી નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી હતી જે આજે સાચી પડી છે.


ભગા બારડ ભાજપમાં જોડાયા


સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. ભગા બારડે આજે રાજીનામું આપતાં કોંગ્રેસ બે દિવસમાં બીજો મોટો ફટકો લાગ્યો છે. ગઈકાલે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ નિમાબેનને રાજીનામું સોંપ્યું હતું. ભગાભાઈ બારડને ભાજપમાં લાવવાનું ઓપરેશન એક સાંસદે પાર પાડ્યું હતું. ભગાભાઈ બારડ ભાજપની ટિકિટથી તલાલાથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.


ભાજપે શા માટે ભગાભાઈનો ખેલ પાડ્યો?


વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 99 સીટમાં સમેટાઈ ગયેલી ભાજપ આ વખતે કોઈ જોખમ લેવા માંગતી નથી. તે કોંગ્રેસના સ્થાનિક પણ મજબુત જનાધાર ધરાવતા ધારાસભ્યોને આકર્ષી સૌરાષ્ટ્ર અને આદીવાસી પટ્ટામાં તેની સ્થિતી મજબુત કરવા માંગે છે. ભાજપના આ ઓપરેશનના ભાગરૂપે આદિવાસી બાદ સૌરાષ્ટ્રની આહિર નેતાઓને ભાજપમાં ખેંચવામાં આવી રહ્યા છે. ભાજપને આહિર સમાજના મોટા નેતાની જરૂર છે. આહિર મતોને ભાજપ તરફ વાળવા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વાસણભાઈ આહિરને રિપિટ ન કરવામાં આવે તો ભાજપ ભગાભાઈને ટિકિટ આપી શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.