ગુજરાતની આ 8 વિધાનસભા બેઠકો જે મોદી લહેરમાં પણ કોંગ્રેસનો અતુટ ગઢ રહી


  • Published By :
  • Published Date : 2022-11-25 16:09:44

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. તેમાં પણ સૌથી સમય સુધી નરેન્દ્ર મોદીની એકચક્રી સત્તા રહી છે. નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપે સૌથી વધુ 127 સીટો 2002ની વિધાનસભાની ચૂંટણીમાં જીતી હતી. જો કે ત્યારબાદ તમામ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સીટો ઘટી છે. રસપ્રદ બાબત તે પણ છે કે મોદી લહેરમાં પણ ભાજપ રાજ્યની એવી 8 બેઠકો છે જે આજદિન સુધી જીતી શકી નથી.  


રાજ્ય 8 સીટો કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો


ભાજપ ગુજરાતની આ 8 વિધાનસભા સીટો લાખ પ્રયત્નો છતાં જીતી શકી નથી, આ બેઠકોમાં બોરસદ, ઝઘડિયા, વ્યારા, ભિલોડા (1995 સિવાય), મહુધા, આંકલાવ, દાણીલીમડા અને ગરબાડાનો સમાવેશ થાય છે. 


શા માટે ભાજપની હાર થઈ ?


ભાજપે જે બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો, તે તમામ બેઠકો પર આદિવાસીનું વર્ચસ્વ વધુ છે. જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી હતી. આ ગુજરાતના 27 મતવિસ્તારોનો ભાગ છે, જેમાં આદિવાસીનો નોંધપાત્ર પ્રભાવ છે, જે 14 પૂર્વીય જિલ્લાઓમાં વિસ્તારિત છે. આ તમામ બેઠકો પર કોંગ્રેસ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી 2017માં પણ ભાજપને માત્ર આઠ આદિવાસી બેઠકો મળી હતી, તો કોંગ્રેસને 15 બેઠકો મળી હતી. આદિવાસીઓમાં ભાજપની હિંદુત્વની રાજનીતિ બહુ અસરકારક રહી નથી. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.