ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPના પર્ફોર્મન્સ અંગે કેજરીવાલે કરી આ ભવિષ્યવાણી


  • Published By :
  • Published Date : 2022-11-27 16:36:23

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે કયો પક્ષ સરકાર બનાવશે તેને લઈ ભવિષ્યવાણીઓ અને અટકળોનું બજાર ગરમ છે. હવે આ ભવિષ્યવેત્તાઓમાં હવે આપના નેતા અરવિંદ કેજરીવાલનું નામ પણ ઉમેરાયું છે. અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં ભવિષ્યવાણી કરી કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે. 


કેજરીવાલે શું કહ્યું?


અરવિંદ કેજરીવાલે સુરત ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે. તેમણે લેખિતમાં ભવિષ્યવાણી કરતા લખ્યું છે કે રાજ્યમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આ સાથે જ તેમણે AAPને 92થી વધુ સીટ મળશે તેવો પણ દાવો કર્યો છે.


ભૂતકાળમાં કેજરીવાલની કેટલી આગાહી સાચી પડી?


દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું, કે "મારી આગાહી સાચી પડે છે. 2014માં જ્યારે દિલ્હીમાં ચૂંટણી થઈ ત્યારે મેં એક પત્રકારને લખ્યું હતું કે કોંગ્રેસને આ વખતે શૂન્ય સીટો મળશે. મેં પંજાબની ચૂંટણીમાં ઘણી આગાહીઓ કરી હતી. તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુ હારી જશે, ચન્ની સાહેબ બંને સીટો પરથી હારી જશે, બાદલ સાહેબનો આખો પરિવાર હારી જશે. એટલા માટે આજે હું તમારા બધાની સામે એક ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું. વિવિધ ચેનલો પૂછે છે. મને, તેની જરૂર નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. તમારે આજે આ વાતની નોંધ લેવી જોઈએ."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.