રાજ્યની આ વિધાનસભા સીટ પર છે મહિલાઓનો દબદબો, કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું છે પ્રભુત્વ


  • Published By :
  • Published Date : 2022-11-29 12:07:55

ગુજરાત ચૂંટણીને લઈ રાજકીય પંડિતો જાતિ  સમીકરણોનું ઘણું વિષ્લેષણ કરે છે પરંતુ મહિલાઓની સંખ્યા અને તેમના મતો અંગે કોઈ ખાસ ગંભીર ચર્ચા સાંભળવા મળતી નથી. આપણા સમાજ સામાન્ય રીતે મહિલાઓ વિશે એવી માન્યતા છે કે દેશમાં મહિલાઓ તેમના પરિવારના વડીલના આદેશ પ્રમાણે મતદાન કરતી હોય છે. જો કે હવે હવે તેવું રહ્યું નથી મહિલાઓ પણ મતદાનને લઈ સ્વતંત્ર નિર્ણય લેતી થઈ છે.


મહિલાઓની બહુમતીવાળી સીટ


ગુજરાતની એક વિધાનસભાની સીટ એવી છે જ્યાં મહિલાઓની બહુમતી છે. જેમ કે નવસારી જીલ્લામાં આવેલા ચાર તાલુકા નવસારી જલાલપોર વાંસદા અને ગણદેવી તાલુકામાંથી વાંસદા તાલુકો એવો છે જેમાં હાલમાં જે વિધાનસભાની ચુંટણી માટે મતદારોની ગણતરી કરવામાં આવી હતી તેમાં પુરુષ અને મહિલા મતદારો માંથી મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતા અંદાજીત 5 હજાર વધુ નોંધાઈ છે. વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99  લાખ મતદારો નોંધાયા છે જેમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ નોંધાઈ છે. આદિવાસી વિસ્તારોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ હોવાનું એ આદિવાસી સમાજ પ્રયાસોનું જ પરિણામ માનવામાં આવે છે.


વાસદામાં કેટલી મહિલા મતદારો


વાંસદા તાલુકામાં સ્ત્રીઓનું મહત્વ અને દેખરેખ અને તેમના કલ્યાણ માટેના કર્યો થતા હોવાની વાત સામેં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર નવસારી જિલ્લામાં 10, 78, 260 મતદારો નોંધાયા છે. જેમાં જલાલપુર તાલુકામાં 2.36 લાખ, નવસારી તાલુકામા 2.49 લાખ, ગણદેવી તાલુકામાં 2.92 લાખ, અને વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99 લાખ મતદારો નોંધાયા છે. જેમાં વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં 1,47,146 પુરૂસોની સામે 1,52,399 મહિલા મતદારો છે. જ્યાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે પાંચ હાજર થી વધુ મહિલા મતદાર વાંસદા તાલુકામાં નોંધાયા છે. જે આદિવાસી વિસ્તાર અને ST બેઠક માટે નિર્ણાયક મતદારો સાબિત થશે.


કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના પિયુષ પટેલ 


વાંસદા વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ગત 2017ની ચૂંટણીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ 19 હજારની લીડથી જીત્યા હતા. હવે જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અનંત પટેલ સામે ભાજપે કોંગ્રેસના યુવા નેતા સામે શિક્ષિત, સરકારી વહીવટી અધિકારી અને યુવા પિયુષ પટેલ ઉપર પસંદગી ઉતારી એક નવો દાવ ખેલ્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે