રાજ્યની આ વિધાનસભા સીટ પર છે મહિલાઓનો દબદબો, કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું છે પ્રભુત્વ


  • Published By :
  • Published Date : 2022-11-29 12:07:55

ગુજરાત ચૂંટણીને લઈ રાજકીય પંડિતો જાતિ  સમીકરણોનું ઘણું વિષ્લેષણ કરે છે પરંતુ મહિલાઓની સંખ્યા અને તેમના મતો અંગે કોઈ ખાસ ગંભીર ચર્ચા સાંભળવા મળતી નથી. આપણા સમાજ સામાન્ય રીતે મહિલાઓ વિશે એવી માન્યતા છે કે દેશમાં મહિલાઓ તેમના પરિવારના વડીલના આદેશ પ્રમાણે મતદાન કરતી હોય છે. જો કે હવે હવે તેવું રહ્યું નથી મહિલાઓ પણ મતદાનને લઈ સ્વતંત્ર નિર્ણય લેતી થઈ છે.


મહિલાઓની બહુમતીવાળી સીટ


ગુજરાતની એક વિધાનસભાની સીટ એવી છે જ્યાં મહિલાઓની બહુમતી છે. જેમ કે નવસારી જીલ્લામાં આવેલા ચાર તાલુકા નવસારી જલાલપોર વાંસદા અને ગણદેવી તાલુકામાંથી વાંસદા તાલુકો એવો છે જેમાં હાલમાં જે વિધાનસભાની ચુંટણી માટે મતદારોની ગણતરી કરવામાં આવી હતી તેમાં પુરુષ અને મહિલા મતદારો માંથી મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતા અંદાજીત 5 હજાર વધુ નોંધાઈ છે. વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99  લાખ મતદારો નોંધાયા છે જેમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ નોંધાઈ છે. આદિવાસી વિસ્તારોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ હોવાનું એ આદિવાસી સમાજ પ્રયાસોનું જ પરિણામ માનવામાં આવે છે.


વાસદામાં કેટલી મહિલા મતદારો


વાંસદા તાલુકામાં સ્ત્રીઓનું મહત્વ અને દેખરેખ અને તેમના કલ્યાણ માટેના કર્યો થતા હોવાની વાત સામેં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર નવસારી જિલ્લામાં 10, 78, 260 મતદારો નોંધાયા છે. જેમાં જલાલપુર તાલુકામાં 2.36 લાખ, નવસારી તાલુકામા 2.49 લાખ, ગણદેવી તાલુકામાં 2.92 લાખ, અને વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99 લાખ મતદારો નોંધાયા છે. જેમાં વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં 1,47,146 પુરૂસોની સામે 1,52,399 મહિલા મતદારો છે. જ્યાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે પાંચ હાજર થી વધુ મહિલા મતદાર વાંસદા તાલુકામાં નોંધાયા છે. જે આદિવાસી વિસ્તાર અને ST બેઠક માટે નિર્ણાયક મતદારો સાબિત થશે.


કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના પિયુષ પટેલ 


વાંસદા વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ગત 2017ની ચૂંટણીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ 19 હજારની લીડથી જીત્યા હતા. હવે જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અનંત પટેલ સામે ભાજપે કોંગ્રેસના યુવા નેતા સામે શિક્ષિત, સરકારી વહીવટી અધિકારી અને યુવા પિયુષ પટેલ ઉપર પસંદગી ઉતારી એક નવો દાવ ખેલ્યો છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.